કોવિડના નવા કેસની સંખ્યા 16 હજારની નીચે આવી છે. ત્યારે સક્રિય મામલામાં ઘટાડો નોંધાયો છે.
24 કલાકમાં 16596 કોરોનાના દર્દીઓ સજા થયા
સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી
જીવ ગુમાવનાર લોકોની કુલ સંખ્યા 157930 થઈ ગઈ
ગત એક વર્ષથી દેશમાં કોરોના વાયરસનો કહેર જારી છે.
ગત એક અઠવાડિયાથી દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તેવામાં આજે થોડા રાહતના સમાચાર છે. જ્યાં એક તરફ અનેક દિવસો બાદ કોવિડના નવા કેસની સંખ્યા 16 હજારની નીચે આવી છે. ત્યારે સક્રિય મામલામાં ઘટાડો નોંધાયો છે. ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 15, 388 નવા મામલા દાખલ કરવામાં આવ્યા છે અને 77 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એ જાણકારી આપી.
જીવ ગુમાવનાર લોકોની કુલ સંખ્યા 157930 થઈ ગઈ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે જારી તાજા આંકડા મુજબ ગત 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 15, 388 નવા મામલા દાખલ કરવામાં આવ્યા છે. આની સાથે દેશમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોના આંકડા વધીને 1,12,44, 786 પહોંચી ગયા છે. ગત 24 કલાકમાં કોરોનાના કારણથી 77 દર્દીઓના જીવ જઈ ચૂક્યા છે. જેના ચાલતા દેશમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની કુલ સંખ્યા 157930 થઈ ગઈ છે.
સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 16596 કોરોનાના દર્દીઓ સજા થયા છે. આ સાથે દેશમાં સાજા થનારા લોકોની સંખ્યા 1,08,99,394 દર્દીઓ કોરોનાને માત આપી સફળ રહ્યા છે. રોજના દાખલ થનારા કેસની સરખામણીએ સાજા થનારાની સંખ્યામાં ઘણા દિવસો બાદ સુધારો જોવા મળ્યો છે. કોરોના ગ્રસ્ત લોકોની સરખામણીએ સાજા થનારા લોકોની સંખ્યા વધારે છે. ઉલ્લેખનીય છું કે શનિવારે સતત કોરોના સંક્રમણના મામલા 18 હજારથી વધારે આવી રહ્યા છે. તેવામાં કોરોના સંક્રમણના દૈનિક મામલામાં આવેલો ઘટાડો રાહત આપનારો છે.