કોરોનાનો રિપોર્ટ આવવાનો બાકી હતો અને મહિલાનું થઈ ગયુ મોત, તેની અંતિમવીધીમાં હોબાળો થયો હતો. લોકોએ અંતિમવિધિનો પણ મલાજો જાળવ્યો ન હતો. કોરોનાથી લોકો ડરી રહ્યા છે પરંતુ કોરોનાની અફવાથી ડરવાની જરૂર નથી. ખાલી ઘરમાં રહીને બને એટલા ઓછા લોકોના સંપર્કમાં આવવાથી કોરોનાને હરાવી શકાશે.
આઇસોલેટ વોર્ડમાં દાખલ મહિલનો મોતનો મામલો
સવારે અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમા રોષ
વહીવટી અને આરોગ્ય તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
સુરેન્દ્રનગરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે અને સાથે સાથે કોરોનાન કેટલો ખૌફ છે લોકોમાં એ પણ સામે આવ્યું છે.
સુરેન્દ્ર નગરમાં એક મહિલાને દાખલ કરવામાં આવી હતી. અને તેને આઈસોલેટ કરવામાં આવી હતી. પરંતુ આ મહિલાનો કોરોનાનો રિપોર્ટ આવે એ પહેલા જ તેનું મોત થયું હતુ જેને પરિણામે મહિલાની અંતિમવિધી વખતે હોબાળો થયો હતો ત્યારે સંબધીઓ દ્વારા મહિલાના મૃતદેહને અર્ધ સળગેલી હાલતમાં છોડી દેવાતા હોબાળો થયો હતો.
સ્થાનિકોમાં રોષ
સુરેન્દ્ર નગર આઇસોલેટ વોર્ડમાં દાખલ મહિલનો મોતનો મામલે ઘમાસાણ મચ્યુ છે. મૃતદેહના અંતિમ વિધી માટે સ્માશનમા હોબાળો થયો હતો. હોબાળો બાદ મોડી રાત્રે કૃષ્ણનગર સ્માશનમાં અંતિમ વિધી કરવામા આવી હતી. જેમાં સવારે અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમા રોષ વ્યાપી ગયો હતો.
વહીવટી તંત્ર પર સવાલ
વહીવટી અને આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મહિલાને ગઈકાલે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. આ મહિલાનો કોરોના રિપોર્ટ આજે સાંજે આવશે.