રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. અને હવે સુરેન્દ્રનગર અને ડાંગમાં પણ કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે કોરોનાના ટેસ્ટિંગ સહિતને લઇને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું કે હાલ રોજ રાજ્યમાં 3 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે અને ગુજરાતમાં હોટસ્પોટ વિસ્તારમાં અગ્રેસિવ ટેસ્ટિંગ થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ , થાન ખાતે 61 વર્ષના દર્દીને કોરોનાની પુષ્ટી
પ્રાથમિક તપાસમાં દર્દીને બોટાદની ટ્રાવેલ હિસ્ટ્રી
ડાંગમાં પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો, પ્રથમ કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ
નવા સેમ્પલની સાથે સાથે દર્દીઓના રિપિટ ટેસ્ટ પણ થાય છે અને લેબની ક્ષમતાને ગુજરાત પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરી રહ્યું છે. સરકારના 15 સેન્ટરમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યારે ખાનગી લેબમાં રૂ.2 હજારમાં ટેસ્ટ થાય છે. અમે 24 કલાકમાં ટેસ્ટના પરિણામ આવે તે માટે વ્યવસ્થા કરી રહ્યાં છે. આ ઉપરાંત હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં જયંતિ રવિએ કહ્યું કે રાજ્યમાં 90 ટકા કેસો શહેરોમાંથી આવ્યા છે. અને કુલ મૃતકોમાંથી 91 ટકા અન્ય રોગથી પીડિત હતા. ગંભીર બીમારી હોય તેવા કોરોનાના 30 ટકા દર્દીઓ. એકાદ ગંભીર બીમારી હોય તેવા 46.66 ટકા દર્દી. એક કરતા વધારે ગંભીર બીમારી હોય તેવા 46.66 કેસ અને કોઈ બીમારી ન હોય તેવા 3.8 ટકા કેસ નોંધાયા છે. જ્યારે ગંભીર બીમારી હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા 81 દર્દીઓ છે.
કેટલા ટેસ્ટિંગ થાય છે?
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો
હાલ રોજ 3 હજારથી વધુ ટેસ્ટ થાય છે
ગુજરાતમાં હોટસ્પોટ વિસ્તારમાં અગ્રેસિવ ટેસ્ટિંગ થયું
નવા સેમ્પલની સાથે સાથે દર્દીઓના રિપિટ ટેસ્ટ પણ થાય છે
લેબની ક્ષમતાને ગુજરાત પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરી રહ્યું છે
સરકારના 15 સેન્ટરમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે
ખાનગી લેબમાં રૂ.2 હજારમાં ટેસ્ટ થાય છે
24 કલાકમાં ટેસ્ટના પરિણામ આવે તે માટે વ્યવસ્થા
હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવશે
લેબોરેટરીમાં ટેસ્ટિંગને હાલ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે
રાજ્યમાં કોરોનાના કેસ
90 ટકા કેસો ગુજરાતના મુખ્ય શહેરોમાંથી આવ્યા છે
રાજ્યમાં કુલ મૃતકોમાંથી 81 ટકા અન્ય રોગથી પીડિત હતા
ગંભીર બીમારી હોય તેવા કોરોનાના 30 ટકા દર્દીઓ
કોઈ બીમારી ન હોય તેવા 3.8 ટકા કેસ આવે છે
એકાદ ગંભીર બીમારી હોય તેવા 46.66 ટકા દર્દી
એક કરતા વધારે ગંભીર બીમારી હોય તેવા 46.66 કેસ
ગંભીર બીમારી હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા 81 દર્દીઓ