ગુજરાતમાં 6 જિલ્લાને લોકડાઉન કરાયા બાદ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જ ગઈકાલ રાતથી લોકડાઉન કરવામાં આવ્યો છે. પણ કલમ 144 લગાવાયા બાદ પણ લોકો એકઠા થઈને મોજ મજા કરી રહ્યા છે. લોકોને કોઈ ડર જ નથી. મંદિર અને મસ્જિદ તથા કોઈ પણ સ્થાન પર લોકોને એકત્રિત થવાની અને કામ વગર ઘરની બહાર પણ નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં વડોદરામાં બાળકો સહિત 6થી વધુ લોકો નમાઝ પઢવા એકઠા થયા હતા.
વડોદરામાં 144ની કલમનું ઉલ્લંઘન
વડોદરામાં ગેંડીગેટ રોડ પર કલમ 144ની કલમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. સરબતી મસ્જિદમાં લોકો નમાઝ અદા કરી રહ્યા છે. એક સાથે 100થી વધારે લોકો એકત્રિત થઈ રહ્યા છે . લોક ડાઉનમાં તંત્રએ મંદિર મસ્જિદ બંધ કરાવ્યા છે.
લોકો સરાજાહેર જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. નમાઝ અદા કરી બહાર નીકળતા લોકોનો વીડિયો અને તસવીરો સામે આવી છે.
કોરોનાને નાથવા સંયમ જરૂરી
વડોદરામાં કોરોનાના 6 કેસ પોઝિટિવ આવ્યા છે અને હજુ આ સંખ્યા વધી શકે છે. તેમ છતાં લોકો 144ની કલમ અને લોકડાઉનની વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યા વૈશ્વિક લેવલે કોરોનાનો ભરડો જાનલેવા બન્યો છે અને અત્યાર સુધીમાં લાખો દર્દીઓ આ રોગમાં પટકાઈ ચુક્યા છે તેમ છતાં ગુજરાતીઓ કેમ હળવાશમાં લઈ રહ્યા છે તે નથી સમજાતુ. કોરોનાના આંકડો એકનો સીધો ડબલ અને ડબલનો પણ ડબલની જેમ ચક્રવૃદ્ધી વ્યાજ કરતા પણ વધુ સ્પીડથી વધી રહ્યો છે.