બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat Govt. gave free ration for people from tomorrow
Gayatri
Last Updated: 03:17 PM, 31 March 2020
ADVERTISEMENT
શું કહ્યુ CMO સચિવ અશ્વિની કુમારે?
લોકડાઉનના પગલે આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જે વ્યવસ્થા પર દેખરેખ રાખશે. રેશનકાર્ડ ધારકોને ફોન કરીને બોલાવવામાં આવશે. દુકાનદાર અને કમિટી ભીડ ન થાય એટલા માટે 25-25ને ફોન કરીને બોલાવશે. આ ઉપરાંત જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.
ADVERTISEMENT
બુધવારથી ઘઉ, ચોખા, ખાંડ સહિત 5 વસ્તુઓનું વિતરણ કરાશે
કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા રાશનના વિતરણની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે CMOના સચિવ અશ્વિની કુમારે નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં બુધવારથી ઘઉ, ચોખા, ખાંડ સહિત 5 વસ્તુઓનું વિતરણ કરાશે.
1 એપ્રિલથી રાજ્યમાં 17 હજાર દુકાનમાં કરાશે વિતરણ
રાજ્યમાં 17 હજાર દુકાનમાં 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનું વિતરણ કરાશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની કાળજી રાખવામાં આવશે. સાથે જ જે લોકો પાસે કાર્ડ ન હોય તેમને પણ અનાજ અપાશે.
4 તારીખથી કાર્ડ વગરના લોકોને પણ અનાજ વિતરણ કરાશે
4 તારીખથી કાર્ડ વગરના લોકોને પણ અનાજ વિતરણ કરાશે. રાશનની દુકાનમાં 25 કાર્ડ ધારકોને દિવસ દરમિયાન બોલાવવામાં આવશે. ટોકન પદ્ધતિ આધારે પુરવઠો આપવામાં આવશે. સાથે જ તંત્ર દ્વારા રાજ્યમાં તમામ ઘંટી ચાલુ રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT