ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વ્યાપો છે ત્યારે ગુજરાતમાં આજે 33 જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઝોન એ એવા ભૌગોલિક વિસ્તાર છે જ્યાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. ગુજરાતના તમામ જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે ત્યારે આજથી રાજ્યભરમાં લોકડાઉન 4 લાગૂ કરવામાં આવ્યું છે જેમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં શરતી છૂટછાટ આપવામાં આવી છે. અહીં તમામ જિલ્લાના કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર છે.
કન્ટેનમેન્ટ ઝોનમાં જવા માટે હાલ છૂટ નહીં મળે
કન્ટેનમેન્ટ ઝોનના લોકો ઘરની બહાર નિકળી શકશે નહી
બહારથી લોકો કન્ટેઈન્મેન્ટમાં પણ આવી શકશે નહી
કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે એટલું જ નહીં તેમને લોકડાઉનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ મળશે નહીં.
લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે. જેમાં અન્ય જિલ્લામાં જવા માટે પાસને લઇના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પરવાનગી નહીં જોઈએ. નોન કન્ટેનમેન્ટ ઝોનમાંથી જવું હશે તો પાસની જરૂર નહીં રહે. ગુજરાતના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નહીં પડે હવે પાસ વગર એકમાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે.
આમ જોવા જઈએ તો રાજ્યની આશરે 6 કરોડની વસ્તીમાંથી 30.62 લાખ લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા હોવાથી 5 ટકા જેટલી વસ્તીને છૂટછાટનો લાભ નહીં મળે.