ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એકલા અમદાવાદમાં કોરોનાના 1002 કેસ નોંધાયા છે ત્યારે હવે પોલીસ કર્મી, સફાઈ કર્મી, હેલ્થ કર્મી, મનપા કર્મી અને તબીબો બાદ લોકસેવામાં રત ફાયર ફાઈટર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. નરોડામાં એક ફાયર ફાઈટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદમાં કોરોના વોરિયર્સ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શહેરમાં ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નરોડા ફાયર સ્ટેશનના જવાન સહિત પરિવારના 3 સભ્યોને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ફાયર જવાન સહિત પરિવારની સારવાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.. ફાયર જવાનના સંપર્કમાં આવેલા અન્ય ફાયર સ્ટાફને પણ ક્વોરન્ટાઈન કરાશે.
ગુજરાતમાં 20 પોલીસ જવાન કોરોનાની ઝપેટમાં
રાજ્યભરમાં 20 પોલીસકર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં પણ પોલીસ જવાનો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે વીટીવીની ટીમ અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પરિવાર પાસે પહોંચી છે. નોબલનગરના એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ પોલીસ વિભાગમાં ફરદ બજાવો છે. કોરોના વાયરસ મહામારીમાં ઘરના ત્રણ સભ્યો ફરજ બજાવતા હોવાથી પરિવારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દરરોજ એક માતા ત્રણ લાડકવાયા દીકરાની રાહ જુએ છે. આ દીકરાઓ દરરોજ કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવી રહ્યા છે. કોરોના દરમિયાન ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને તેમના પરિવારને વીટીવીની ટીમ સલામ કરે છે.
અમદાવાદ LG હોસ્પિટલમાં ડોક્ટર સહિતનાને સંક્રમણ
કોરોનાના કારણે અમદાવાદમાં ડૉક્ટરોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. અન્ય બિમારીના દર્દીઓના પણ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે હવે એલ.જી હોસ્પિટલમાં મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓર્થોપેડિકની સારવાર માટે આવેલી મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબોની મુશ્કેલી વધી છે. મહિલા બાદ હવે સારવાર કરતા તબીબ અને સ્ટાઉની પણ તપાસ કરાશે.
અમદાવાદમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના આજે વધુ 140 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે હવે અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધીને 1022એ પહોંચી છે. આજે અમદાવાદમાં નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલીફ રોડ, ત્રણ દરવાજા, જીવરાજપાર્ક, મણિનગર, મેઘાણીનગર, દાણીલીમડા, જુહાપુરામાં કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે નોંધાયેલા દર્દીઓમાંથી માત્ર 15 દર્દીઓમાં લક્ષણ દેખાયા હતા.
લક્ષણ ન હોય તેમ છતાં કોરોના પોઝિટવ
ગુજરાતમાં કોરોના વાયરસથી રિકવરીનો દર ઓછો હોવાને લઇ ઓરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે કેરળના પ્રમાણમાં ગુજરાતમાં રિકવરી દર ઓછો. જેમાં રોગપ્રતિકારક શક્તિ સહિતની બાબતો મહત્વની છે. આ ઉપરાંત કેરળમાં કેસ વહેલા આવ્યા હોવોથી રિકવરી વધુ થઇ છે. જ્યારે ગુજરાતમાં કેરળ કરતા મોડા કેસ આવ્યા છે.