રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108નું સાયરન નહીં સંભળાય. હવે રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108ના સાયરન વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. CM રૂપાણીએ સાયરન વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો
રાત્રે ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ અપાઈ
એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે
રાજ્યમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે લેવાયો નિર્ણય
ગુજરાતમાં કોરોના રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે. ગઈકાલે 24 કલાકમાં 94 લોકોના કોરોનાથી મોત થયા હતા અને 8,920 નવા કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના ખોફથી લોકોની માનસિક સ્થિતિ ન બગડે એ માટે સીએમ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108ના સાયરન વગાડવા પર પ્રતિબંધ
રાત્રી કર્ફ્યૂ દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવામાં નહીં આવે. રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108નું સાયરન નહીં સંભળાય. હવે રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108ના સાયરન વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. CM રૂપાણીએ સાયરન વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલું જ નહીં પણ ખાનગી એમ્બ્યુલન્સના સાયરન વગાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
રાત્રે ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ
હાલ રાજ્યમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. એક તરફ લોકો કોરોનાથી ડરેલા છે ત્યારે સતત સાયરનના ભણકારા તેમની માનસિક તંદુરસ્તીને હાની પહોંચાડે છે પણ જો રાત્રે ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ આપાવમાં આવી છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,9781 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2842 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 56 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1522 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 398 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 429 કેસ, જ્યારે ગ્રામ્યમાં 171 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 707 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...