અમદાવાદમાં એક જ દિવસમાં 1409 કોરોનાના કેસ આવતા મનપા તંત્ર કામે લાગી ગયુ છે અને તાત્કાલિક અચોક્કસ મુદ્દત માટે પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે
અમદાવાદમાં પાન-ગલ્લા અને ચા ની કીટલીઓ બંધ
પાન-ગલ્લા અને ચા ની કીટલીઓને લઇ AMCનો નિર્ણય
આગામી આદેશ સુધી પાન ગલ્લા-ચા ની કીટલી રહેશે બંધ
અમદાવાદમાં પાન-ગલ્લા અને ચા ની કીટલીઓ બંધ છે. વધતા કોરોનાના કેસને લઇ અમદાવાદ મનપાએ પાન-ગલ્લા અને ચા ની કીટલીઓને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મનપાએ કહ્યું કે પાન-ગલ્લા અને ચા ની કીટલી ખુલ્લી હશે તો કાર્યવાહી કરાશે. કોરોનાના કેસ વધતા આ પ્રકારના નિર્ણય જરૂરી છે. અને શાકભાજી માર્કેટમાં પણ ટીમો દ્વારા કામગીરી કરાશે. માસ્ક-નિયમ મામલે શહેરમાં 200 ટીમો કામ કરી રહી છે. તંત્રના નિર્ણયમાં પ્રજા સહકાર આપે તેવી અપીલ અમદાવાદ મનપાએ કહ્યું છે.
દરેક કર્મચારીએ દર સપ્તાહે રેપિડ ટેસ્ટ કરાવવો ફરજિયાત
6 ફૂટનું અંતર જળવાય તે માટે સર્કલ દોરવાના રહેશે
કિટલી કે લારી પર માસ્ક વેન્ડિંગ મશીન મૂકવાની વ્યવસ્થા કરવી પડશે
ચા- કોફી પીતા ગ્રાહક ટોળે ન વળે તેનું ધ્યાન રાખવું પડશે
ચા-કોફી માટે બાયોગ્રેડેબલ ડીસ્પોઝલ કપનો જ ઉપયોગ કરવો
વાસણો ડિટરર્જન્ટથી ધોવા ફરિયાત છે
રોડક વ્યવહાર એકબીજાને સ્પર્શ ન થાય તે રીતે કરવા નિર્દેશ
પાન-મસાલા અને ગુટખા તેમજ થુંકવા પર પ્રતિબંધ રાખવો
ગ્રાહકોને બેસવા માટેના ટેબલો સેનેટાઇઝ કરવા
ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલા માસ્ક, ગ્લોવ્ઝ માટે ડસ્ટબીન
સળગતા સવાલ
શું AMCનો આ નિર્ણય ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવો નથી?
ચાની કિટલી પર આટલા નિયમો થોપવા કેટલા યોગ્ય?
શું આ નિયમો તોડબાજ કર્મચારીઓને પોષણ આપનારા નથી?
શું આ નિયમના નામે ગરીબ કિટલીવાળાઓને દબાવવામાં નહી આવે?
આવા નિયમો કેમ કોઈ રાજકીય મેળાવડામાં નથી બનાવતા?
કેમ રાજકીય તાયફામાં સોશિયલ ડીસ્ટંસની ગાઇડલાઇન નથી અપાતી?
શું રાજકીય મેળાવડાઓમાંથી કોરોના નથી ફેલાતો?
શું માત્ર કિટલીવાળાઓ જ કોરોના ફેલાવે છે?
ચા પીતી વખતે ગ્રાહક વાત કરે તો કિટલીવાળા તેને કેવી રીતે રોકી શકે?
એક દિવસમાં અમદાવાદમાં 1409 નવા કેસ
અમદાવાદ શહેરમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને લઇને લોકોની ટેસ્ટ કરાવવા લાંબી લાઇનો લાગી છે. શહેરમાં SG હાઇવે ઝાયડસ ચાર રસ્તા પર ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. ઈન્જેક્શનની માંગ સાથે ટેસ્ટિંગની પણ મોટી લાઈન લાગી છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે તંત્રની ચિંતા વધી રહી છે. એક દિવસમાં અમદાવાદમાં 1409 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતભરમાંથી દર્દીના પરિવારજનો ઈન્જેકશન માટે પહોંચ્યા
અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું ફરી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ બહાર ઈન્જેકશન લેવા હજારો લોકો આવ્યા છે...મોડી રાતથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકો લાઇનમાં ઉભા રહ્યાં છે. ગુજરાતભરમાંથી દર્દીના પરિવારજનો ઈન્જેકશન માટે પહોંચ્યા છે. જેને લઇને ઝાયડસ હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.