દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ કોરોના વાયરસનું એપીસેન્ટર બની ગયુ છે. ત્યારે ગુજરાતમાંથી અમદાવાદમાંથી 30 જેટલા દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા લોકોની ભાળ મળી આવી છે તે તેમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે આ તમામ લોકો દરિયાપુર વિસ્તારના છે. આ લોકોના રિપોર્ટ કરાઈ રહ્યા છે.
ગુજરાત માથે મોટુ સંકટ
દરિયાપુરમાંથી 30 દિલ્હી મરકઝમાં ગયેલા લોકો મળી આવ્યા
અમદાવાદ છે ગુજરાતનું એપીસેન્ટર, કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યુ
કોરોનાનું સંકટ દિવસેને દિવસે ઘેરૂ બની રહ્યુ છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ ગુજરાતમાં અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યુ છે એટલું જ નહીં પરંતુ અમદાવાદમાંથી જ 30 જેટલા લોકો દિલ્હીમાં તબલીગી જમાતમાં સામેલ થઈને અમદાવાદ આવ્યા હોવાની વાતને પગલે અમદાવાદમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા
ગુજરાતમાં કોરોનોના કેસ વધી રહ્યા છે તેમ તેમ ચિંતાઓ પણ વધી રહી છે ત્યારે અમદાવાદને કેન્દ્ર સરકારે કોરોનાનું હોટસ્પોટ જાહેર કર્યુ છે અને એકલા દરિયાપુરમાંથી જ અન્ય રાજ્યોના તબલીગી જમાતના 29 જેટલા ધર્મપ્રચારકો દિલ્હી જઈને પરત આવ્યા છે. તે તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
તમામ લોકો દરિયાપુરના છે
ગુજરતામાંતી 100થી વધુ લોકો દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતમાં ગયા હતા જેમાંથી અમદાવાદમાંથી 30 લોકો શોધી કઢાયા છે અને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી આવેલા અને મરકઝમાં હાજરી આપેલા 29 જેટલા ધર્મપ્રચારકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ લોકો શહેરના સીટી વિસ્તાર દરિયાપુરમાં રોકાયા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યુ છે.