ગુજરાતમાં કોરોનાના મોતના આંકડા સૌથી વધુ અમદાવાદમાં છે અને તેમાંય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના વધુ મોત અને વારંવાર દર્દીઓની હાલાકીને પ્રશ્નોને લઈને હવે તંત્ર દ્વારા 60થી મોટી ઉમંરના દર્દીઓને યુએન મહેતા અને કિડની હોસ્પિટલમાં દાખલ કરવાની નવી ફોર્મ્યુલા અપનાવાઈ રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આ ચર્ચાઓ થઈ રહી છે.
દર્દીઓને મોકલાય છે યુએન મહેતામાં
60 વર્ષથી વધુની વયના દર્દીઓને યુ.એન. મહેતા અને કિડની હોસ્પિટલમાં મોકલાય છે
સિવિલમાં વધુ મોત થતાં હોવાથી સરકારનો પ્રયાસ
ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે કોરોના સંકટમાં હવે સિવિલ હોસ્પિટલ વિરૂદ્ધ મળી રહેલી ફરિયાદો અને સિવિલમાં થઈ રહેલા મોતને કારણે હવે દર્દીઓને સિવિરને બદલે યુ.એન.મહેતા અને કિડની હોસ્પિટલમાં મોકલવામાં આવશે આવી વાતો વહેતી થઈ છે. 25મી મે સુધીમાં તારીખ સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 388 લોકોના કોરોનાથી મોત થયા હતા.
દર્દીઓને મોકલાય છે યુએન મહેતામાં
સૂત્રોના જણાવ્યાનુસાર અસારવા સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હવે જલદી સાજા થઇ જાય તેવા દર્દીઓને જ દાખલ કરવાનું આયોજન અપનાવવામાં આવ્યું છે. હાઇ રિસ્ક પરના તેમજ 60થી વધુની વયના દર્દીઓને સિવિલ સંકુલમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં મોકલી સિવિલની છબી સુધારવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલમાં 832 દર્દીઓ હતા, હજુ ત્યાં ના 1200 બેડ ભરાયા ન હોવા છતાં દર્દીઓને યુ.એન. મહેતા અને કિડની હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.
60 વર્ષથી વધુની વયના દર્દીઓને યુ.એન. મહેતા અને કિડની હોસ્પિટલમાં મોકલાય છે
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા અકલ્પનીય વધારાના કારણે યુ.એન. મહેલા અને કિડની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જો કે હવે છેલ્લાં કેટલાંક દિવસથી સિવિલમાં આવી આવતા કોરોનાના હાઇ રિસ્ક પરના તેમજ 60 વર્ષથી વધુની વયના દર્દીઓને યુ.એન. મહેતા અને કિડની હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જલદી રિકવર થઇ જાય તેમજ ચાલતાફરતા હોય તેવા દર્દીઓને જ સિવિલમાં દાખલ કરી હવે સિવિલની છબી સુધારવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.