ગુજરાતા લોકો માટે આજે સૌથી મોટો સમાચાર આવી ગયા છે. કારણ કે, આજથી રાજ્યની તમામ શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ રહેશે. આપણી સરકારે મિનિ વેકેશન જાહેર કર્યું છે. વાહ મિનિ વેકેશન ? સાંભળતા જ તમને તો જલસો પડી ગયો હશેને... પરંતુ વધુ ખુશ થવાની પણ જરૂર નથી. કારણ કે, માત્ર શાળા-કોલેજો જ બંધ નહીં રહે. પરંતુ શહેરના તમામ મોલ-મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. કારણ કે, તમને અને તમારા સંતાનોને બચાવવાનો પ્રયાસ છે. જાણો કેવી રીતે...
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાતમાં આજથી કોરોના વેકેશન
રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રહેશે
વેકેશનનું નામ પડતાની સાથે જ ખુશ ન થઈ જતા કે ન તો પોતાના સંતાનોને લઈને ફરવા નિકળી પડતા. કારણ કે, આ કોઈ હરવા-ફરવા માટેનું વેકેશન નથી. પરંતુ તમને અને તમારા સંતાનોને કોરોના વાયરસથી બચાવવા માટેનું 'કોરોના'ને રોકવાનું વેકેશન છે. કારણ કે, હાલ કોરોના મોત બનીને વિશ્વમાં ફરી રહ્યો છે. જેમાં હવે ભારતમાં પણ તેના કેસ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે મહામારી બની ચૂકેલો કોરોના ગુજરાતમાં ન પહોંચે અને ગુજરાતમાં ન ફેલાય તે માટે રાજ્યની સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજથી 29 માર્ચ સુધી રાજ્યમાં વેકેશન
રાજ્ય સરકારે તો વેકેશન જાહેર કરી દીધું છે. પરંતુ સરકાર વેકેશન ન જાહેર કરે તો પણ શહેરોના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. રાજ્યની તમામ શાળા-કોલોજોમાં તાળા લાગી ચૂક્યા છે. તો મોલ-મલ્ટિપ્લેક્સ પણ બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાની ગંભીરતાને જોતા ટ્યુશન કલાસીસ, આંગણવાડીઓ અને શહેરોમાં ચાલતા તમામ સ્વીમિંગ પુલોને પણ બંધ રાખવા સરકારે આદેશ કર્યો છે. જોકે આ સાથે જ સરકારના તમામ સરકારી કાર્યક્રમો પણ રદ્દ કરાયા છે. જોકે ભાઈ પાન-મસાલા ખાનારા પણ જરા સાવધાન થઈ જજો. કારણ કે, પાન-મસાલો ખાઈ રસ્તા પર કે ગમે ત્યાં પીચકારી મારતા પકડાયા તો 500 રૂપિયાની પાવતી ફાટી જશે.
રાજ્યની તમામ શાળા-કોલેજોઓ બંધ જોવા મળી
સરકારની જાહેરાત બાદ વીટીવીએ પણ કોરોનાની ગંભીરતાને જોતા શાળા-કોલેજો અને મોલ-મલ્ટિપ્લેક્સની મુલાકાત લીધી. તો બધુ સુમસામ જોવા મળ્યું હતું. રાજકોટ, સુરત, વડોદરા કે અમદાવાદ તમામ જગ્યાઓ પર સંન્નાટો જોવા મળ્યો હતો. જાણે કોરોનાનું કર્ફ્યૂ લાગી ગયું હોય.
પરિવહન ક્ષેત્રે તંત્રને અલર્ટ કરી દેવાયું
જોકે ડર તો સૌકોઈને છે પરંતુ તેના કારણે રાજ્યને તો બંધ ન કરી શકાય. ત્યારે સરકારે તમામ પરિવહન ક્ષેત્રે તંત્રને અલર્ટ કરી દીધું છે. તમામ રેલવે સ્ટેશનો પર તો તંત્ર અલર્ટ છે. પરંતુ તેની સાથે-સાથે બસ સ્ટેન્ડો પર પણ કોરોનાને ડામવા માટે તંત્ર કામે લાગી ચૂક્યું છે. સુરતનું બસ સ્ટેશન જ્યાં રોજ 23 લાખ લોકોનો આવરો-જાવરો રહે છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખતા એસટી વિભાગે અલગ-અલગ જગ્યાઓ પર સેનેટાઈઝર તો મુક્યા જ છે. પરંતુ લોકોને સામેથી જાગૃત કરવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે.
સરકાર જ નહીં લોકોએ જાગૃત થવાની જરૂર
જોકે આ પ્રકારે રાજ્યનું તંત્ર તો અલર્ટ બન્યું જ છે. પરંતુ આપણો વારો છે. કારણ કે, માત્ર સરકારના પ્રયાસથી આ ગંભીર બિમારીને રોકી નહીં થકાય.