કોરોના વાયરસે રાજ્યને બાનમાં લીધું છે આજે કોરોના વાયરસના કુલ દર્દીઓનો આંકડો 1900ને પાર થઇ ગયો છે. આ તરફ રાજ્ય સરકાર તથા પોલીસતંત્ર દ્વારા કોરોના વાયરસે મ્હાત આપવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને સૌરાષ્ટ્રમાંથી સારા સમાચાર પ્રાપ્ત થયાં છે. ગીરસોમનાથ જિલ્લો તથા ગાંધીનગર શહેર કોરોના મુક્ત થયાં છે.
ગીરસોમનાથ જિલ્લો કોરોનામુક્ત થયો છે
ગીર સોમનાથમાં કોરોનાગ્રસ્ત બીજા દર્દી સાજા થયા
ગાંધીનગર શહેર પણ થયું કોરોનામુક્ત
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ગીર સોમનાથથી સારા સમાચાર મળી રહ્યા છે. હાલ ગીર સોમનાથમાં કોરોનાનો એક પણ કેસ નથી. કોરોનાના બે દર્દીઓના રિપોર્ટ આજે નેગેટિવ આવતા સમગ્ર જિલ્લામાં શાંતિ જોવા મળી છે. 23 દિવસની સારવાર બાદ બે લોકોને આજે રજા અપાઈ છે. સોમનાથના બંને દર્દીઓ સાજા થતા રજા આપી દેવાઈ છે.
ગાંધીનગર શહેર કોરોનામુક્ત
ગાંધીનગર શહેર કોરોનામુક્ત બન્યું છે. આ અંગે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 19 માર્ચે ગાંધીનગરમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો, દુબઈથી આવેલા ઉમંગ પટેલ નામના યુવકને કોરોનાની પુષ્ટી થઇ હતી. આ સાથે જ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના 11 સભ્યોને સંક્રમણ થયું હતું જો કે, તમામ દર્દીઓનો રિપોર્ટ તબક્કાવાર નેગેટિવ આવ્યા હતા. જો કે, ગાંધીનગર જિલ્લામાં તો હજી કોરોના વાયરસના ઘણા કેસ છે.
મોરબી અને જામનગરમાં રાહતના સમાચાર
આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 23 રાજ્યોના 59 જિલ્લામાંથી સારા સમાચાર એ છે કે 14 દિવસથી ત્યાંથી એક પણ કેસ નથી આવ્યો. જેમાં મોરબી અને જામનગરનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે બંને જિલ્લાઓમાં 1-1 કેસ અત્યાર સુધી નોંધાયા છે. જેમાં જામનગરમાં એ દર્દીનું મોત થઈ ચૂક્યું છે.
જાણો ગુજરાતના કયા-કયા જિલ્લા છે હજી સુધી નથી નોંધાયા કોરોનાના કેસ
આપને જણાવી દઇએ કે, અમરેલી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, નવસારી, સુરેન્દ્રનગર, તાપી તથા વલસાડ જિલ્લા એમ કુલ 8 જિલ્લામાં હજી સુધી એકપણ કેસ નોંધાયો નથી.
સૌથી વધુ કેસ ધરાવતા પાંચ જિલ્લા (20 એપ્રિલ, 2020 સુધી)