જ્યારે આખી દુનિયા કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહી છે ત્યારે એ સમજવાની જરૂર છે તેના લક્ષણ સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે. પણ તેની ગંભીરતા વધારે હોય છે. એક રિસર્ચ અનુસાર કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીમાં વધારે થાક, શ્વાસ ચઢવો અને માંસપેશીઓમાં દર્દ થવાની તકલીફો અનેક મહિનાઓ સુધી રહે છે.
ખતરનાક હોઈ શકે છે લોન્ગ-કોવિડની સ્થિતિ
દર્દીઓમાં જોવા મળે છે આવા ખાસ લક્ષણો
રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ દર્દીને રહે છે તકલીફ
શું છે લોન્ગ-કોવિડની સ્થિતિ
આ સ્થિતિને લોન્ગ-કોવિડ કહેવાય છે. તેમાં સંક્રમણથી બહાર આવ્યા બાદ પણ લોકોમાં કોરોનાના લક્ષણો 3 મહિના સુધી જોવા મળે છે. આ સમસ્યા એ લોકોનો વધારે રહે છે જેને કોરોના લાંબા સમય સુધી રહ્યો હોય. એક રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ દર્દીને થાક લાગે છે, શ્વાસ ચઢે છએ અને શરીરમાં દર્દ રહે છે. એટલું જ નહીં તે કંઈ વસ્તુ પકડે તો પણ તેનો હાથ ધ્રૂજવા લાગે છે.
સામાન્ય કામમાં પણ લાગે છે થાક
તેમનું કહેવું છે કે આ દર્દીઓને સીડી ચઢવામાં પણ શ્વાસ ચઢે છે. તેમને ખ્યાલ ન આવ્યો કે દર્દીમાં લાંબા સમય સુધી આ લક્ષણ કેમ રહે છે. તેનું કારણ તેમને લાંબા સમય સુધી થયેલો કોરોના છે. તેની અસર માનસિક સ્થિતિ પર પણ થાય છે. નહાવા અને કપડાં પહેરવાના કામમાં પણ થાક લાગે છે. અનેક વાર ચાનો કપ ઉઠાવવામાં પણ તકલીફ પડે છે. શરીરમાં દર્દ રહે છે. કેટલાક દર્દીઓ તો લોન્ગ -કોવિડ સામે વડ્યા બાદ વ્હીલ ચેરમાં જ સમય પસાર કરી રહ્યા છે. તેમને હાથ હલાવવામાં પણ મુશ્કેલી પડે છે.