કોરોના સંકટ વચ્ચે અનલૉક-4ની પ્રક્રિયા હવે શરૂ થઇ ગઇ છે. એક બાદ એક બાબતો રાબેતા મુજબ થઇ રહી છે, જીંદગી જાણે ધીમે-ધીમે પાટા પર આવી રહી હોય તેવું રાખી રહ્યું છે ત્યાર દીવ જતા પ્રવાસીઓ માટે પણ હવે ખુશીના સમાચાર આવ્યા છે.
પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર
દીવના બીચ ખુલ્લા મુકાયા
6 મહિના બાદ ફરી ખુલ્યા બીચ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, દીવના લોકો અને પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીવના બીચ પ્રવાસીઓ માટે હવે ખુલ્લા મુકવામાં આવ્યાં છે. હવે પ્રવાસીએ દીવના બીચની મુલાકાત લઇ શકશે.
6 માર્ચ બાદ ફરી ધબકતા થયાં બીચ
નોંધનીય છે કે, દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળો કહેર વરસાવ્યો છે. જો કે, કોરોના કાળ વચ્ચે 6 મહિના બાદ પ્રવાસીઓ માટે ફરી બીચ ખોલવામાં આવ્યાં છે. 22 માર્ચથી દીવના બીચ, કિલ્લો, મ્યુઝિયમ વગેરે પર્યટક સ્થળો બંધ હતાં. જે હવે ખુલ્લા મુકાયા છે.
દીવ ફરવા આવતા ટુરિસ્ટોના એડવાન્સ બુકીંગ કરાયા હતા રદ્દ
આપને જણાવી દઇએ કે, કોરોના વાઇરસની દહેશતને લઈ દીવ ફરવા આવતા ટુરિસ્ટોના એડવાન્સ બુકીંગ પણ ધડાધડ કેન્સલ કર્યા હતા. દીવમાં પણ કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર સજાગ બન્યું હતું અને કાર્યવાહીના ભાગરૂપે પ્રવાસીઓ માટે બીચ બંધ કર્યા હતા.
ભારતમાં સૌથી વધુ દર્દીઓ થયાં સાજા
ભારત દુનિયાનો બીજો એવો દેશ બન્યો છે જ્યાં સૌથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અમેરિકામાં સૌથી વધારે દર્દીઓ અત્યાર સુધી કોરોનાને માત આપી ચૂક્યા છે. વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 38.55 લાખથી વધારે કોરોનાના દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. જ્યારે અમેરિકામાં કોરોનાથી માત આપનારા લોકોની સંખ્યા 40 લાખથી વધુ અને બ્રાઝિલમાં 35.75 લાખ પહોંચી છે.