દેશમાં 25 મેથી વિમાન સેવા ફરી શરૂ થવા જઇ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સોમવારથી મુંબઇથી ટેક ઓફ કરતી અને મુંબઇ આવનારી 25 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને મૂંજરી આપવામાં આવશે. ધીરે-ધીરે આ સંખ્યામાં વધારો કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં સોમવારથી 25 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને મૂંજરી આપવામાં આવશે
ધીરે-ધીરે ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવશે
જોકે પહેલા મહારાષ્ટ્ર સરકારે સોમવારે વિમાન સેવાને લઇને પોતાની અસમર્થતા દર્શાવી હતી. મહારાષ્ટ્ર સરકારનું કહેવું હતું કે તે 25 મેથી વિમાન સેવા શરૂ કરી શકશે નહીં. જ્યારે હવે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકનું કહેવું છે કે સોમવારથી મુંબઇ માટે 25 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે. જ્યારે ધીરે-ધીરે તેની સંખ્યામાં વધારો કરાશે.
પહેલા મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને એમ જણાવ્યું હતું કે એ સ્પષ્ટ નથી કે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એરપોર્ટ પર ફરી કામ શરૂ કરવા, કર્મચારીઓની ઉપલબ્ધતા, તેમની સ્વાસ્થ્ય સ્થિતિ અને તેમની ફિટનેસના સ્તરની તપાસ કરવા જેવી જરૂરી બાબતો પર કામ કર્યું છે કે નહી. રાજ્ય સરકારે પોતાના જવાબમાં એમ પણ કહ્યું કે એમઆઇએએલએ સ્પષ્ટ નથી કર્યું કે તેનો સ્ટાફ કન્ટેનમેન્ટ ઝોનથી આવશે કે નહીં.
દેશભરમાં 25 મેથી દેશના ઘણા ભાગોમાં વિમાનોની અવર-જવર શરૂ કરાઇ રહી છે. લગભગ બે મહીના બાદ ડોમેસ્ટિક ફ્લાઇટ્સને ટેક ઓફ માટે એરપોર્ટ પર ખાત તૈયારી કરાઇ રહી છે. હવે એરપોર્ટ પર નવા નિયમ અને કાયદાની સાથે તમામ બદલાયેલુ હશે.