ચીનમાં કોરોના વાયરસ (Coronavirus) ની અસર સતત વધતી જઇ રહી છે. ચીનની સાથે-સાથે તેની અસર દુનિયાના બીજા દેશોમાં પણ પહોંચી રહી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને કોઇપણ પ્રકારની મદદની ઓફર કરી હતી. પીએમ મોદીના પત્ર પર હવે ચીની વિદેશ મંત્રાલયનો જવાબ આવ્યો છે. આ ઓફરને ભારત-ચીનની ગાઢ મિત્રતાનું પ્રતીક બતાવી છે.
ચીનમાં કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણમાં સતત વધારો
ચીનની સાથે-સાથે તેની અસર દુનિયાના બીજા દેશોમાં પણ પહોંચી રહી છે
ચીને આ ઓફરને ભારત-ચીનની ગાઢ મિત્રતાનું પ્રતીક બતાવી છે
ચીની વિદેશ મંત્રાલયની તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'ભારતની તરફથી કોરોના વાયરસને લઇને જે સમર્થનની વાત કહેવામાં આવી, તેના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત દ્વારા આમ કહેવું ચીનની સાથે તેની ગાઢ મિત્રતા દર્શાવે છે. અમે ભારત અને દુનિયાના તમામ દેશોની સાથે કામ કરવા તૈયાર છીએ, જેથી આ વાયરલની વિરુદ્ધ જંગ લડી શકીએ.'
પીએમ મોદીએ કરી હતી મદદની ઓફર
પીએમ નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. તેમા અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે ચીનમાં થયેલા નુકશાન પર શોક વ્યક્ત કર્યો હતો અને ભારત તરફથી કોઇપણ પ્રકારની મદદની રજૂઆત કરી હતી.
પોતાના પત્રમાં પીએમ મોદીએ હુબેઇ પ્રાન્તથી ભારતીય નાગરિકોને નીકાળવામાં ચીની સરકાર દ્વારા કરવામાં આવેલી મદદની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, ચીનમાં ભારતના 300થી વધારે વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા, જેમને વિદેશ મંત્રાલયે ચીની સરકારની મદદથી બહાર નીકાળવામાં આવ્યા. એર ઇન્ડિયાના બે વિમાન ચીનથી ભારતીય નાગરિકોને પાછા પોતાના દેશ લઇને આવ્યા અને હવે તેમની અહીં સારવાર કરવામાં આવી રહી છે.
ગત બે મહીનામાં કોરોના વાયરસની અસર દુનિયાભરમાં ફેલાઇ છે. ચીનમાં જ આ વાયરસને કારણે 900થી વધારે લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે હજારો લોકો તેની ઝપેટમાં છે. કોરોના વાયરસને કારણે જ ચીનનો મોટાભાગની દુનિયાથી સંપર્ક ઓછો થઇ ગયો છે.