ભારતમાં કોરોનાના રોજના કેસ 50 હજારથી નીચે રહ્યા છે. મોટા ભાગના રાજ્યોમાં ડેલી કેસઝની સંખ્યા ઘટી છે પરંતુ દિલ્હીમાં રોજ કેસ વધી રહ્યા છે. દિલ્હી સરકારે સ્વીકાર્યું છે કે ત્યાં કોરોનાની ત્રીજી લહેર છે. કહેવારોને જોતા લોકોને અપીલ કરવામાં આવી છે કે ભીડ નિયંત્રિત રહે. ત્યારે મહારાષ્ટ્ર સરકારનો અંદાજો છે કે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં કોરોનાની બીજી લહેર જોવા મળી શકે છે. ત્યારે ત્યાંના સ્વાસ્થ્ય વિભાગને પહેલાથી તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
દિલ્હી, મહારાષ્ટ્ર , પ. બંગાળ અને કેરળમાં વધારે ચિંતા
મહારાષ્ટ્રમાં બીજી લહેર આવવાનો ખતરો
મહારાષ્ટ્રમાં જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં કોરોનાની બીજી લહેર જોવા મળી શકે
દિલ્હી, મહારાષ્ટ્ર , પ. બંગાળ અને કેરળમાં ચિંતા
કોરોનાના નવા કેસમાં દિલ્હી આ સમયે ટોપ પર છે. ત્યારે મહારાષ્ટ્ર અને કેરળમાં વધુ કેસ આવવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જોઈએ તો મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પ. બંગાળ ઉપરાંત હરિયાણામાં વધારે કેસ આવી રહ્યા છે. પ. બંગાળની સ્થિતિ વધારે સારી નથી. બુધવારે પહેલી વાર દિલ્હીમાં 8 હજારથી વધારે કેસ આવ્યા હતા. કેસ પોઝિટિવિટી રેટ 13.4 ટકા છે જે બહું વધારે છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા 4,59,975 છે. જ્યારે 7228 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 42,629 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં બીજી લહેર આવવાનો ખતરો
મહારાષ્ટ્ર સરકાર એવું માનીને ચાલી રહી છે કે આવનારા જાન્યૂઆરી -ફેબ્રુઆરીમાં રાજ્ય કોરોનાની બીજી લહેરનો સામનો કરી શકે છે. છ પન્નાના દસ્તાવેજોમાં તેને પહોંચી વળવા માટે અનેક સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં ફટાકડા મુક્ત દિવાળીનો સમાવેશ થયો છે. સરકાર ઈન્ફલૂએન્ઝા જેવી બિમારીઓને મોનિટરિંગ પણ કરશે. જેથી કોરોના ફેલાવાની શરુઆતન સંકેતોની ખબર પડે. સુપર સ્પ્રેડર્સ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે.. દેશમાં એક દિવસમાં કોરોનાના 48 હજાર 285 નવા કેસ નોંધાયા છે. તો વધુ 550 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ એક દિવસમાં કોરોનાથી 52 હજાર 704 લોકો સ્વસ્થ પણ થયા છે. હાલ દેશમાં કુલ 4 લાખ 89 હજાર 427 એક્ટીવ કેસ છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 1 લાખ 28 હજાર 165 લોકોનો ભોગ લઈ ચુક્યો છે. અત્યાર સુધીમા કુલ 86 લાખ 84 હજાર 39 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.