ભારતમાં રોજના 50 હજારથી વધારે નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
90 ટકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે
આ સમયમાં 70 જિલ્લામાં જ સંક્રમણમાં વધારો જોવા મળ્યો
50 હજારથી વધારે નવા કોરોનાના કેસ
90 ટકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે
દેશમાં હવે સતત કોરોના વાયરસના મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં ભારતમાં રોજના 50 હજારથી વધારે નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન રાહતની વાત એ છે કે દેશમાં જે 650 જિલ્લાના આંકડા ઉપલબ્ધ છે. તેમનાથી 90 ટકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ઘટતુ જોવા મળી રહ્યું છે.
આ સમયમાં 70 જિલ્લામાં જ સંક્રમણમાં વધારો જોવા મળ્યો
ઉપલબ્ધ આંકડા અનુસાર 12 જૂનથી 19 જૂનની વચ્ચે દેશના 70 જિલ્લામાં જ કોરોના સંક્રમણ મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફક્ત 27 જિલ્લામાં જ કોરોનાના સક્રિય કેસની સંખ્યા 100થી વધારે રહી. જ્યારે 18 જિલ્લામાં આ આંકડા સિંગલ ડિઝીટમાં રહ્યા.
પશ્ચિમ બંગાળમાં કેસમાં વધારો
આમાંથી 23 જિલ્લા પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળ દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ગત અઠવાડિયે કોરોનાના સક્રિય મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. આની પહેલા રાજ્યમાં કોરોના સંક્રમણના મામલામાં ઘણો ઘટાડો નોંધાયો છે. ત્યારે કોરોના સંક્રમણના સક્રિય મામલાની સંખ્યા 1.32 લાખથી ઘટીને 15000 પહોંચી ગઈ છે. આવું 20 દિવસમાં થયું છે. પરંતુ આ બાદ સંખ્યા વધી લઈ છે. 19 જૂન સુધી રાજ્યમાં કોરોનાના 23 હજાર સક્રિય મામલા હતા.
આ મામલામાં આ દેશનું આઠમું રાજ્ય છે
જો કે પશ્ચિમ બંગાળમાં હવે કોરોનાના રોજ આવનારા મામલા હવે 3 હજારથી ઓછા આવી રહ્યા છે. તેમજ સાજા થનારા અને મરનારાની સંખ્યામાં ઘણું અંતર છે. જેમ કે શનિવારે રાજ્યમાં 2486 લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે ફક્ત 21 લોકો જ કોરોનાથી સાજા થયા છે.
મિઝોરમ અને મણિપુરમાં પણ કેસમાં વધારો
પશ્ચિમ બંગાળ ઉપરાંત મિઝોરમ અને મણિપુર જ એવું રાજ્ય છે કે જ્યાં ગત અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જો કે આ વધારો 1000 કેસથી ઘણા ઓછા છે. મહારાષ્ટ્રમાં આવા 6 જિલ્લા છે. જ્યાં ગત અઠવાડિયો કોરોના સંક્રમણના સક્રિય મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મુંબઈ, પાલઘર, બુલઢાણા, સાંગલી, ઔરંગાબાદ અને પરભાણી શામિલ છે.