મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના સંકટ વચ્ચે સેલરી કાપવાનો નિર્ણય લીધો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે. આ લોકોના સેલેરી કાપવાનો નિર્ણય કર્યો છે ત્યારે જાણો કોની સેલેરીમાંથી કેટલા ટકા પૈસા કપાશે
કોરોના સંકટની વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
સીએમ સહિત તમામ ધારાસભ્યોનો પગાર કાપવાનો નિર્ણય
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 240 કોરોના ગ્રસ્ત
દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્ય અને અન્ય સરકારી કર્મચારીઓનો પગાર કાપવામાં આવશે. મહારાષ્ટ્ર કોરોનાની મહામારીનું સૌથી વધારે ભોગ બન્યુ છે. આ સમયે સંકટની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીએ આ નિર્ણય અંગે માહિતી આપી છે.
Maharashtra Deputy CM and state Finance minister Ajit Pawar has issued orders that salaries of all elected representatives, including CM and all MLAs-MLCs, will be cut by 60% for the month of March. (file pic) #Coronaviruspic.twitter.com/jtYbIuudML
રાજ્ય સરકારના નિર્ણય મુજબ મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્યોના પગારમાં 60 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. ક્લાસ-1 અને ક્લાસ-2 કર્મચારીઓના પગારમાંથી 50 ટકા પગાર કાપવામાં આવશે. ક્લાસ-3ના કર્મચારીઓના પગારમાંથી 25 ટકા કપાશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયમાં ક્લાસ -4ના કર્મચારીઓને આમાંથી અલગ રાખવામાં આવ્યા છે. આ લોકોને પુરો પગાર ચુકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં 1251 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 240 કેસ નોંધાયા છે. જ્યારે 8 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 2-3 દિવસોમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં મુંબઈ- પુનામાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકાર પહેલા તેલંગાણા સરકારે સેલરી કાપવાનો નિર્ણય લીધો હતો. અહીં મંત્રીમંડળ, ધારાસભ્ય, એમએલસી, નિગમ અધ્યક્ષ સહિત તમામ પદાધિકારીઓ પર 75 ટકા સેલરી કાપવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે તે લોકડાઉનને પગલે સરકારીથી માંડી ખાનગી વ્યવસાય ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે.