કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીના સ્ટડીમાં એવું ચોંકાવનારુ તારણ સામે આવ્યું છે કે વેક્સિન ન લેનાર લોકો વેક્સિન લેનાર લોકો માટે મોટો ખતરો બની રહ્યાં છે.
કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીનો મોટો સ્ટડી
વેક્સિનને લઈને સામે આવી ચોંકાવનારી માહિતી
વેક્સિન ન લેનાર લોકો વેક્સિન લઈ ચૂકેલા લોકો માટે બની રહ્યાં છે ખતરો
કોરોના વેક્સિન લેનાર લોકોએ હવે ખરેખર ચેતવાની જરુર છે. કોરોના વેક્સિન લેનાર લોકો માટે હવે વેક્સિન ન લેનાર લોકો મોટો ખતરો બની રહ્યાં છે તે વાત હવે સાબિત થઈ છે. કેનેડાની યુનિવર્સિટીના સંશોધકોએ આ વાત સાબિત કરી દેખાડી છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોએ સાર્સ-કોવ -2 (કોરોનાવાયરસ) જેવા ચેપી રોગના પરિમાણોને સમજવા માટે એક સરળ મોડેલનો ઉપયોગ કર્યો હતો, જેથી રસી ન લીધેલા અને રસી લીધેલા લોકોના મિશ્રણની અસરની જાણકારી મળી શકે.
વેક્સિન ન લેનાર લોકોને આજુબાજુના લોકોથી ખતરો
સ્ટડીમાં સંશોધકોને એવું માલૂમ પડ્યું કે વેક્સિન ન લેનાર લોકોને બીજા કોઈ તરફથી નહીં પરંતુ વેક્સિન ન લેનાર તેમની આજુબાજુના લોકો તરફથી મોટો ખતરો છે. સંશોધકોએ વેક્સિન લેનાર લોકોને ચેતતા રહેવાની સલાહ આપી છે અન્યથા મોટું નુકશાન થઈ શકે છે.
બાળકોમાં જલ્દી જોવા મળે છે આ લક્ષણ
કોરોનાના XE વેરિઅન્ટની બાળકો પર ખૂબ જ ઝડપથી અસર થઈ રહી છે. બાળકોમાં તેના લક્ષણો પણ સરળતાથી જાણી શકાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ પરિવારના તમામ સભ્યોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને કેટલીક બાબતો અંગે સતર્ક પણ કર્યા છે.
XE વેરિઅન્ટથી બાળકોને કેવી રીતે બચાવશો
હેલ્થ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે જો તમારા બાળકોમાં આ બધા લક્ષણ જોવા મળે તો ચિંતા કરવાની જરુર નથી. જો કે સાથે એમ પણ જણાવ્યુ કે આવી સ્થિતિમાં કોઇ પણ પ્રકારની લાપરવાહી રાખવી નહી . આવી સ્થિતિમાં યોગ્ય સમયે સારવાર કરાવવી જરૂરી બની જાય છે.
રસીકરણ છે અસરકારક
નિષ્ણાંતો કહે છે કે કોરોનાના કોઈપણ પ્રકારનો સામનો કરવાનો સૌથી અસરકારક રસ્તો રસીકરણ છે. આવી સ્થિતિમાં, જો તમારું બાળક રસીકરણ માટે લાયક છે, તો તેને તરત જ રસીકરણ કરાવવું જોઈએ. આ સિવાય ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે અને સારી જીવનશૈલી પણ મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.