રાજ્યમાં ચીનથી પરત ફરી ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓમાં અમુક વિદ્યાર્થીઓને તાવ-શરદી જેવા સામાન્ય લક્ષણો દેખાતા તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. જેને પગલે ગુજરાતમાં કોરોના વાયરસના પગપેસારા અંગે અવનવા તર્ક અને ફફટાડને પગલે નાયાબ મુખ્યમંત્રીએ આજે ખુલાસો કર્યો હતો.
કોરોના વાયરસ ચીનમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનમાં અભ્યાસ કરતા 300થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ ન ઘુસી જાય તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં બેથી 3 વિદ્યાર્થીઓમાં સામાન્ય તાવ-શરદીના લક્ષણ જણાતા તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ કોરોના વાયરસ ઘુસી જવાના ફફડાટે લોકોમાં ભય ફેલાઈ રહ્યો હતો ત્યારે આ અંગે DyCM નીતિન પટેલે ખુલાસો કર્યો હતો.
શું કહ્યું નાયાબ મુખ્યમંત્રીએ?
રાજ્યમાં કોરોના વાયરસના 2 શંકાસ્પદ કેસ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે, ચીનથી ગુજરાતના નાગરિકો પરત ફર્યા છે. કોઈ પણ વ્યક્તિને કોરોના વાયરસના લક્ષણ દેખાયા હતા. સરકાર દ્વારા મુસાફરો પર ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. તમામ મુસાફરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.