વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં કોરોના સામેની જંગમાં તંત્ર અનેક સરાહનીય પગલા ભરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસને લઇને આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જે કર્મચારીઓ એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં છે તેઓનો નિવૃત્તિમાં એક મહિનો લંબાવી દેવામાં આવ્યો છે.
કોરોના વાયરસને લઇ આરોગ્ય વિભાગનો નિર્ણય
આરોગ્ય વિભાગના કર્મીઓની નિવૃત્તિ લાંબાવાઈ
1થી 31 એપ્રિલ સુધી નિવૃત થતા કર્મચારીઓની 31 મે સુધી મુદત લંબાવાઇ
રાજ્યભરમાં કોરોના વાયરસનાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છો. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મીઓની નિવૃત્તિને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇને રાજ્યમાં 1 થી 31 એપ્રિલ સુધીમાં જે કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે તેઓની નિવૃત્તિનો સમય 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓની ઘટ અને કોરોનાની મહામારીને નજરમાં રાખી નિવૃત્ત થઇ રહેલા કર્મચારીઓની નિવૃત્તિમાં એક મહિનાનો વધારો કર્યો છે.