આપણે વાત ચીનની કરી રહ્યા છે. જ્યાં કોરોના વાયરસ મોત બની વરસી રહ્યો છે. જે મોતે આજે ચીનની ગતિ પર રોક લગાવી દીધી છે. આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવનારું ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શક્તું નથી. ત્યારે ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે, ચીને પોતાની જરૂરિયાત માટે ભારતથી માસ્કની ખરીદી શરુ કરી છે. આનો સીધો ફાયદો ગુજરાતના માસ્ક ઉત્પાદકોને મળ્યો છે. ત્યારે અમદાવાદના ચાંગોદરની કંપની પણ બનાવી રહી છે રોજના લાખો માસ્ક...
વિશ્વ પર નિર્ભર બન્યું ચીન
જેણે દુનિયાની બજારોમાં અડ્ડો જમાવ્યો છે
ચીન કરે છે ગુજરાતમાંથી રોજ 5 લાખથી વધુ માસ્કની ખરીદી
અમદાવાદના ચાંગોદરમાં આવેલી એક કંપની જ્યાં હાલ રોજેરોજ લાખોની સંખ્યામાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. કારણ કે, ચીનમાં તાંડવ મચાવતા કોરોના સામે રક્ષણ માટે માસ્કની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. પરંતુ ચીનની કંપનીઓમાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે. જેથી હવે ચીને ભારત પાસે મદદ માગી છે. આમ ગુજરાતની માસ્ક બનાવતી કંપનીઓમાંથી રોજેરોજ અંદાજીત 5 લાખથી વધુ માસ્કની નિકાસ કરવામાં આવી રહી છે.
ચીનમાં માસ્કની કેમ વધી માગ?
સવાલ અહીં એ થતો હશે કે, જે ચીન દુનિયાને વસ્તુઓ પુરી પાડે છે તે ચીન શું પોતાના દેશ માટે માસ્ક ન બનાવી શકે? પરંતુ અહીં અવું નથી. વાત એમ છે કે, કોરોના વાયરસના કારણે હાલ ચીનના દરેક નાગરીકના મોઢા પર માસ્ક છે. આ ડિસ્પોઝેબલ માસ્ક છે જેનો ઉપયોગ માત્ર એક દિવસ માટે જ થઈ શકે છે. તેવામાં કરોડોની વસ્તી માટે તાત્કાલીક ધોરણે માસ્કનું ઉત્પાદન શક્ય નથી. કારણ કે, કોરોના વાયરસના કારણે પહેલાથી જ અનેક શહેરો સીલ કરી દેવાયા છે. આમ ચીને હવે ભારતની મદદ લેવી પડી છે. જોકે ક્યાંકને ક્યાંક આ ઉત્પાદકોને પોતાનું ઉત્પાદન પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
કેવો છે કોરોનાનો કહેર?
ચીનમાં અત્યાર સુધીમાં 217 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 8 હજારથી વધુ લોકાો કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. હાલ ચીનના 18 શહેરોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ છે. જોકે હાલ આ વાયરસે ભારત સહિત 17 દેશોમાં પણ દસ્તક દીધી છે. પરંતુ હજુ સુધી એકપણ વ્યક્તિનું ભારતમાં વાયરસના કારણે મોત થયું નથી.