બહું ઓછા લોકો કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.
બહું ઓછા લોકો કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ રહ્યા છે
કોવિન એપમાં આવી રહેલી ટેક્નિકલ સમસ્યાએ વધારી ચિંતા
ઘણા લોકો રસીનો એક ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા
કોવિન એપમાં આવી રહેલી ટેક્નિકલ સમસ્યાએ વધારી ચિંતા
કોવિન એપમાં આવી રહેલી ટેક્નિકલ સમસ્યા અને કોરોના વાયરસ રસી લેનારાની ઓળખ કરવામાં આવી રહેલી સમસ્યાના કારણે આ અભિયાનને અસર પડી રહી છે. રસીના બીજા ડોઝના રસીકરણ કાર્યક્રમ પર તેની અસર પડી રહી છે. તમામ રાજ્યોમાંથી આવેલી રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
28 દિવસના અંતર બાદ બીજો ડોઝ અપાય છે
6 રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં રસીનો બીજો ડોઝ આપવાનું કામ સોમવાથી શરુ થઈ ગયું છે. પ. બંગાળ, ગોવા, તમિલનાડુ અને હરિયાણામાં શનિવારથી બીજા ચરણનું રસીકરણ શરુ થઈ ચૂક્યું છે. 28 દિવસના અંતર બાદ બીજો ડોઝ અપાય છે. રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરુ થયો છે.
અહીં બીજો ડોઝ લેનારની સંખ્યા ઓછી
પં. બંગાળમાં ફક્ત 7273 લોકોએ જ બીજો ડોઝ લીધો છે. પરંતુ 16 જાન્યુઆરીએ પહેલા ચરણમાં લગભગ 15 હજાર લોકોએ રસી લગાવી હતી. ત્યારે પંજાબમાં પહેલા ચરણની સરખામણીએ બીજા ચરણમાં ફક્ત ચાર ટકા લોકોએ જ રસી લગાવી છે. 16 જાન્યુઆરીએ 1319 સ્વાસ્થ્યકર્મીઓને રસી લગાવાઈ હતી. જ્યારે બીજા ચરણમાં ફક્ત 59 લોકોને રસી લાગી હતી.
ઘણા લોકો રસીનો એક ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા
આ સમયે ભારતમાં 2 રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીન આ બન્ને રસીના 2 ડોઝ લગાવવામાં આવી રહ્યા છે. પહેલા અને બીજા ડોઝની વચ્ચે 4 અઠવાડિયાનું અંતર રાખવાનું કહેવામાં આવ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે 2 ડોઝ વગર આ રસીની કોઈ અસર જોઈ શકાય નહીં. ઉલ્લેખનીય છે કે દેશભરમાં અનેક એવા મામલા સામે આવ્યા છે. જ્યાં રસીનો એક ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થઈ ગયા છે. જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.