કોરોના વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત થયા છે અને લાખો લોકોએ વાયરસથી જીવ ગુમાવ્યા છે ત્યારે આ કહેર સામે લડવા માટે વિશ્વનાં ઘણા બધા દેશો હવે ભારત સામે આશાની નજરે જોઈ રહ્યા છે.
કોરોના વાયરસની રસી બનાવવામાં ભારત વિશ્વના ઘણા દેશોથી આગળ
વેક્સિનનું ઉત્પાદન કરવાની ભારતની ક્ષમતાને જોતા વિશ્વ ભારતના આંગણે
વિશ્વના 64 દેશોના રાજદૂત હૈદરાબાદની મુલાકાતે
ભારત બાયોટેકની રસીનું પૂરજોશમાં નિર્માણ
કોરોના વેક્સિનમાં ભારત વિશ્વમાં કેટલું આગળ છે તે માટે આ તસવીરો જ પૂરતી છે. બ્રિટનમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત પણ થઇ ગઈ છે પણ દુનિયાની નજર તો ભારત પર ટકેલી છે. દુનિયાના 64 દેશોના રાજદૂત આજે હૈદરાબાદ પહોંચ્યા છે.
Telangana: The 64 Heads of Missions in India arrive in Hyderabad.
ભારતમાં કોરોનાની રસીના વિકાસ માટે જે કામ થઇ રહ્યું છે તેને જોવા માટે હૈદરાબાદની લેબમાં આ રાજદૂતને લઇ જવામાં આવી રહ્યા છે. હૈદરાબાદમાં ભારત બાયોટેક વેક્સિન માટે કામ કરી રહ્યું છે અને જોન્સન એન્ડ જોન્સનની કોરોના વેક્સિનનું નિર્માણ પણ આ શહેરમાં કરવામાં આવી રહ્યું છે.
Delhi: 64 Heads of Missions in India leave for Hyderabad, where they are scheduled to visit Bharat Biotech and Biological E. Ltd, in continuation of the briefing by Ministry of External Affairs (MEA). The facilities are developing #COVID19 vaccine. pic.twitter.com/LqlZtsT5Cr
નોંધનીય છે કોરોનાના હાહાકાર બાદ હવે દેશને ઓછી કિંમતમાં કોરોનાની રસીની તપાસ છે જે આપવાની ક્ષમતા ભારતમાં છે. આ જ કારણ છે કે આજે વિશ્વ એક આશાની નજરે ભારત સામે જોઈ રહ્યું છે. હૈદરાબાદ સિવાય તેમને બીજા શહેરોમાં પણ લઇ જવામાં આવશે.
કેમ ભારત તરફ જોઈ રહ્યું છે વિશ્વ
નોંધનીય છે કે ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદન કરતો દેશ છે, ભારતમાં વિશ્વ માટે કરોડો રસીના ડોઝ તૈયાર કરવાની ક્ષમતા છે. આ સિવાય વેક્સિનના સ્ટોરેજ માટે પણ ભારત પાસે અભૂતપૂર્વ શક્તિઓ છે. એવામાં વેક્સિન ક્ષેત્રે ભારતની તાકાતને જોતા વિશ્વના ઘણા દેશોને ભારતથી ઘણી આશાઓ બંધાયેલી છે. એવામાં મહામારી સામે લડવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.