દેશમાં કોરોના વેક્સીનેશન શરૂ થયા બાદ AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે વેક્સીનેશન બાદ એન્ટીબોડીની અસર 8 મહિના સુધી રહે છે.
દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું વેક્સીનેશન
કોવૈકેસીન અને કોવિશિલ્ડના 75 લાખથી વધુ ડોઝ અપાયા
વેક્સીનેશન બાદ એન્ટીબોડીની અસર 8 મહિના સુધીઃ ગુલેરિયા
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે વેક્સીન લગાવ્યા બાદ કોરોનાની વિરુદ્ધમાં એન્ટીબોડી 8 મહિના કે તેનાથી વધારે સમય સુધી રહી શકે છે. તેઓએ કહ્યું કે વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી સુરક્ષાને માટે ઝડપથી કામ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોનું વેક્સીનેશન માર્ચથી શરૂ કરાશે.
14 દિવસ બાદ એન્ટીબોડી વિકસિત કરાશે
તેઓએ કહ્યું કે અન્ય શોટ્સના લગભગ 14 દિવસ બાદ એન્ટીબોડી વિકસિત થશે. આ સ્પષ્ટ નથી કે તેમાં મળેલી સુરક્ષા કેટલા દિવસ સુધી રહેશે. પણ માનવામાં આવે છે કે આ ઓછામાં ઓછા 8 મહિના સુધી પ્રભાવી રહેશે અને લાંબા સમય સુધી પ્રભાવી રહી શકે છે. 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ કરાયા બાદ અત્યાર સુધી ભારતમાં કોવિશિલ્ડ અને કોવૈક્સીનના 75 લાખ ડોઝ અપાઈ ચૂક્યા છે.
પશુ ચિકિત્સકોને પ્રાથમિકતા નહીં
ગુલેરિયાએ કહ્યું કે 50 વર્ષથી ઉપરની આબાદીને માર્ચ 2021માં વેક્સીન મળવાની શરૂ કરાશે. તેઓએ એમ પણ કહ્યું કે 20-50 વર્ષની વચેચે પહેલાથી બીમાર વ્યક્તિને પણ તેમાં સામેલ કરાશે. જો કે પશુ ચિકિત્સકોને વધારે જોખમવાળા વર્કર્સની સૂચિમાં સામેલ કરાશે નહીં. તેનું કારણ એ છે કે આ ડોક્ટર્સ મનુષ્યની સારવાર કરી રહ્યા નથી.
ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને પણ મળશે કોરોના વેક્સીન
ગુલેરિયાએ કહ્યું કે ઉંમર અને કોમરેડિટીના આધાર પર વધારે ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને વેક્સીન મળશે. સરકાર અન્ય દેશોને વેક્સીન સપ્લાય કરીને પોતાનાથી વંચિત કરી રહી છે. ગુલેરિયાનું કહેવું છે કે જો કે લોકો યાત્રા કરી રહ્યા છે અને વાયરસના વાહક બની રહ્યા છે. આ માટે પ્રસારને નિયંત્રિત કરવા માટે દરેકને વિશ્વ સ્તરે વેક્સીન અપાશે. દરેક દેશોને પોતાના ભાગની વેક્સીન મળવાની જરૂર છે.