સરકારી અધિકારીઓ નાણાની વેડફાટ કરી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. જનતાની પરસેવાની કમાણી વેડફાતી હોવાનો આક્ષેપ થી રહ્યો છે.
જનતાની કમાણીની લ્હાણી
અધિકારીઓ વેડફી રહ્યા છે નાણા
ઓડિટ અને કન્સલ્ટંસીના નામે વેડફાટ
સરકારી અધિકારીઓ નાણાની વેડફાટ કરી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. જનતાની પરસેવાની કમાણી વેડફાતી હોવાનો આક્ષેપ થી રહ્યો છે. પર્ફોમન્સ સારૂ દર્શાવવા માટે નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. કન્સલ્ટન્સી ફર્મને કરોડો રૂપિયાની ફી ચુકવાતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. સરકારી વિભાગો દ્વારા રૂ.25 કરોડ સુધીની ચુકવણી કરવામાં આવી છે. ઓડિટ ફર્મ અને એડવાઇઝરી સર્વિસના નામે નાણા ચુકવાયા છે. સરકારના ખોટા ખર્ચ પર કાપ મુકવાના આદેશ વચ્ચે અધિકારીઓ બેફામ બન્યા છે.
કોરોનાથી 35થી વધુ ડોક્ટર્સના મોત થઈ ચુક્યા
કોરોના પર કાબુ મેળવવામાં તંત્રની રણનીતિ સંપૂર્ણ નિષ્ફળ રહી છે એટલું જ નહીં પરંતુ તંત્રની નિષ્ફળતા છતાં ડોક્ટર્સ પર અધિકારીઓની દાદાગીરી જોવા મળી રહી છે. અધિકારીઓની મનમાની મુદ્દે CM રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટર્સ ડોક્ટર્સને ધમકી આપતા હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે. કોરોના વોરિયર્સ પર દબાણ કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ પોલીસ કાર્યવાહીની ધમકી આપતા હોવાના પણ આક્ષેપ છે. અનેક જિલ્લામાં ડોક્ટર્સને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ મૂકાયો છે. કચ્છ, ગીરસોમનાથ, જામનગરમાં અધિકારીઓની જોહુકમી ચાલે છે. બોટાદ અને પંચમહાલમાં અધિકારીઓની જોહુકમી કરે છે અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી 35થી વધુ ડોક્ટર્સના મોત થઈ ચુક્યા છે.
સળગતા સવાલ
આવી રીતે નાણાંનો વેડફાટ શું કામ કરી રહ્યા છો?
કામ ન કરી શકતા હોય તો દેખાવ કરી કોને ખુશ કરો છો?
શું અધિકારીઓ પર મંત્રીઓનું કોઇ નિયંત્રણ નથી રહ્યું?
અધિકારીઓ ખોટો નાણાં વેડફી રહ્યાં છે તો નિયંત્રણ કોણ રાખશે?
પ્રમોશન મેળવવા માટે જનતાના પૈસા શા માટે વેડફો છો?
પ્રમોશન જોઇતુ હોય તો સારા કામ કરો દેખાડા નહી?