હવે તો ૮૦ થી ૯૦ ટકા લોકોને ચેપ લાગી જાય છે : ડો. ગુલેરિયા
હાલમાં દેશમાં કોરોના સંક્રમણની જે નવી લહેર ચાલી રહી છે, તેના નવા લક્ષણો સામે આવી રહ્યા છે, અને આના પ્રમાણે એક ઠીકઠાક લાંબા સમયથી જો ત્યાંને ઉધરસ આવતી હોય અને તે ઠીક ન થઈ રહી હોય તો આ શરદીની જગ્યાએ કોરોનાનો નવો લક્ષ હોઇ શકે છે.
પંજાબમાં સૌથી વધુ કેસ યુકે સ્ટ્રેઇનના જ છે
AIIMS દિલ્હીના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી ફેલાવવા વાળો SARS-Cov-2 વાયરસના દુનિયાભરમાં ઘણા વેરિયન્ટ્સ જોવા મળી રહ્યા છે અને આમાં યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વેરિયન્ટ્સ વધુ પાયમાલી સર્જી રહ્યા છે, પંજાબમાં પણ સૌથી વધુ દર્દીઓ યુકે વેરીયન્ટના જ છે.
AIIMS ડિરેક્ટરે વધુમાં કહ્યું હતું કે પહેલા આ વાયરસના સંપર્કમાં આવનારા ૩૦ થી ૪૦ ટકા લોકોને જ ચેપ લાગતો હતો, અને હવે આ વાયરસની ક્ષમતા ૮૦ થી ૯૦ ટકા સુધી પહોંચી ગઈ છે, અર્થાત પહેલાના જૂના વાયરસની સંપર્કમાં આવનારા દર ૧૦૦ માંથી ૬૦ થી ૭૦ લોકોને સંક્રમણ નહોતું થતું,, જ્યારે કે હવે તેનાથી માંડ ૧૦ થી ૨૦ લોકો જ બચી શકે છે, કેટલાક જગ્યાએ તો આખાને આખા પરિવારો સંક્રમિત થઈ ગયા છે.
લોકોની લાપરવાહીથી વધી રહ્યા છે કેસ
ડો. ગુલેરીયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કોરોના કેસ ફેલાવા પાછળનું સૌથી મોટું કારણ લોકોનું માસ્ક ન પહેરવું છે, અને કોવિડના અન્ય નિયમો જેવા કે વારંવાર હાથ ન ધોવા, બે ગજના સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવાનું વગેરે છે, તેમણે વધુમાં કહ્યું હતું કે પહેલાની લહેરમાં લોકો બચાવના સાધનો અપનાવી રહ્યા હતા, પણ હવે તે વધુને વધુ લાપરવાહ થઈ ગયા છે, જેના હિસાબે સંક્રમણ વધી રહ્યું છે.
વધુ ઝડપથી કામ કરવું પડશે
એઇમ્સ ડિરેક્ટરે કોરોનાની સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે ખૂબ જ ઝડપથી સ્થિતિ બગડી રહી છે અને સરકારોએ આ મામલે કોવિડ સ્પેશિયલ બેડ વધારવા પડશે અને અમુક હોટેલોને હોસ્પિટલો સાથે જોડવી પડશે, આ વખતે દેશ પાસે સમય ઓછો છે, માટે ઝડપથી કામ કરવું પડશે, કે જેથી કરીને સ્થિતિને વધારે બગડવાથી રોકી શકાય.
વધુ એક લક્ષણ તરીકે જો કોઈ વ્યક્તિના મોઢાનો સ્વાદ બદલી ગયો હોય કે ખાવા પીવાની સામગ્રીની સુગંધ આવતી બંધ થઈ ગઈ હોય, શરીરનું તાપમાન ૯૯ થી ૧૦૩ ડિગ્રી હોય અને છાતી પર ગરમ લાગવા માંડે તો આ મામલે તપાસ કરાવડાવવી જોઈએ.