ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સને અપાયેલ છૂટછાટ પર ફરી વિચાર કરશે ભારત સરકાર
દુનિયાભરમાં સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા ઓમિક્રૉન કોરોના વાયરસ વેરિયન્ટને લઈને ટેન્શન વધી ગયું છે. અનેક દેશોમાં પ્રતિબંધો લાગી ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ આજે હાઇલેવલ બેઠક કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ કરી હાઇલેવલ બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કરેલ હાઇલેવલ બેઠકમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ઓછા કરવાના નિર્ણય પર સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. પીએમ મોદીએ કોરોના વાયરસ મુદ્દે આજે ટોચના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને ઓમીક્રૉન વેરિયન્ટને લઈને તમામ જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને કેટલા દેશો આ વેરિયન્ટથી પ્રભાવિત થયાં છે તે અંગે પણ જાણકારી આપી હતી.
Officials briefed PM Modi about the new Variant of Concern ‘Omicron’ along with its characteristics & impact seen in various countries. Its implications for India were also discussed. PM spoke about the need to be proactive in light of the new variant: PMO pic.twitter.com/vW5YEJlwda
આપ્યા મહત્વપૂર્ણ આદેશ
પીએમ મોદીએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે બહારથી આવતા તમામ યાત્રિકોની મોનીટરીંગ કરવામાં આવે અને તે મુદ્દે ગાઈડલાઇન મુજબ ટેસ્ટિંગ કરવામાં આવે. આ સાથે જ ઈન્ટરનેશનલ ફ્લાઇટ માટે જે છૂટછાટ આપવામાં આવી છે તેના પર ફરીથી સમીક્ષા કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આદેશ આપ્યા કે જે દેશોમાં વધારે રિસ્ક છે તેમના યાત્રિકોનાં ટેસ્ટ કરવામાં આવે અને આ મુદ્દે કડકાઇથી કામ કરવામાં આવે.
PM directed officials to work closely with state govts to ensure that there is proper awareness at state & district levels. He directed that intensive containment & active surveillance should continue in clusters reporting higher cases: PMO
બીજો ડોઝ આપવામાં ઝડપ વધારો: PM મોદી
કોરોના વાયરસ સામે ચાલી રહેલ વેક્સિનેશન અભિયાનમાં પણ પીએમ મોદીએ બીજો ડોઝ આપવામાં ઝડપ વધારવા માટે આદેશ આપ્યા છે.
ઓમીક્રોન વેરિઅન્ટને અટકાવવા ગુજરાત સરકારનો નિર્ણય
ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે 11 દેશોમાં ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ દેશથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે.
ભારત સરકારની એક બાદ એક તાબડતોબ બેઠકો
કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ ઈમરજન્સી લગાવવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ટેન્શન પણ વધી ગયું છે કારણ કે આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં હવે ભારત સરકાર તાબડતોબ એક્શનમાં આવી છે. એક બાજુ આજે પ્રધાનમંત્રી મોદીએ હાઇલેવલ બેઠક કરી હતી ત્યાં કેન્દ્રના અલગ અલગ મંત્રાલય પણ એક્શન મોડમાં કામ કરી રહ્યા છે. જે દેશોમાંથી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે તે દેશોમાં ફ્લાઇટ્સ બેન લગાવવો કે નહીં તે મુદ્દે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે હાઇલેવેલ મીટિંગ થઈ છે. આ મીટિંગ બાદ શક્યતા છે કે ટૂંક જ સમયમાં ભારતમા કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે.