પશ્ચિમ બંગાળના ભાજપના પ્રેસિડેન્ટ દિલીપ ઘોષે બુધવારે જાહેરાત કરતા આશ્ચર્યજનક ટિપ્પણી કરી હતી કે "કોરોના પૂરો થઇ ગયો છે."
પશ્ચિમ બંગાળના ધનિયાખાલી (હુગલી જિલ્લા)માં એક જાહેર સભામાં સંબોધન કરતી વખતે ઘોષે આ નિવેદન આપ્યું હતું. આ ભીડમાં લોકો માસ્ક પણ પહેરેલા નહોતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.
From Dhaniakhali (Hooghly zela), while addressing a public meeting this afternoon. pic.twitter.com/Oa7AlnmsVn
ઘોષે કહ્યું કે મમતા બેનર્જી કોરોનાના ભયને કારણે નહીં પણ ભાજપના ભયને કારણે લોકડાઉન લાગુ કર્યા હતા. ઘોષ પોતે માસ્ક પહેર્યા વિના આવ્યા હતા અને તેમણે એવું આડકતરી રીતે જાહેર કર્યું હતું કે તેઓ સરકારની કોવિડ 19ની ગાઈડલાઇન્સનો ભંગ કરશે.
નોંધનીય છે કે ભાજપ પશ્ચિમ બંગાળની 2021ની ચુંટણીઓને ધ્યાનમાં રાખી રહ્યું છે. 2019ની લોકસભામાં ભાજપ 18 બેઠકો મેળવી શક્યું હતું જયારે તૃણમૂલ કોંગ્રેસ 22 બેઠકો મેળવી શક્યું હતું.
બંગાળમાં કોરોનાની હાલત ચિંતાજનક
બંગાળમાં કોરોનાને લઇને કેન્દ્રથી ડોક્ટરની ટીમ, ટેસ્ટિંગ કીટ્સ, કોરોનાની થયેલા મોતના આંકડા વગેરેને લઇને સતત વિવાદ સર્જાયા છે. મમતા બેનર્જીએ ICMRમાં ખરાબ ગુણવત્તાની ટેસ્ટિંગ કીટ્સ આપવાનો આક્ષેપ લગાવ્યો હતો જયારે ICMRએ બંગાળને કોરોનાથી થતા મોતના સાચા આંકડા આપવા માટે આગ્રહ રાખ્યો હતો કારણ કે બંગાળમાં જાહેર થતા મોતના આંકડાઓમાં પહેલેથી કોઈ રોગથી પીડાતા કોરોનાના દર્દીઓનું મોત થાય તો તેને કોરોનાના મોતની યાદીમાં મુકવામાં આવતા નથી.
અત્યારે બંગાળમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે જેમાં bi-weekly લોકડાઉન ઉમેરવામાં આવ્યું છે. બંગાળમાં અત્યારે 23,341 એક્ટિવ કેસીસ છે જયારે 1,62,992 કેસ રિકવર થઈ ગયા છે. જયારે મૃત્યુ આંક 3730 ઉપર પહોંચ્યો છે.