સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં હવે કોરોનાના 77103 એક્ટિવ કેસ છે. એક જ દિવસમાં 6977 નવા કેસ આવતાં ખળભળાટ મચ્યો છે. દેશમાં હાલ સુધી 4021 દર્દીઓના મોત થયા છે તો 57720 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાની કુલ સંખ્યા 1,38, 845ને પાર પહોંચી છે.
દેશમાં કોરોનાની સંખ્યા વધતાં મચ્યો ખળભળાટ
એક જ દિવસમાં આવ્યા 6977 કેસ
કોરોનાની કુલ સંખ્યા 1,38,845ને પાર પહોંચી
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે કોરોનાના કારણે 154 લોકોના મોત થયા છે. દેશમાં લગભગ 4021 લોકોના જીવ ગયા છે. દેશમાં હાલ સુધીમાં 77103 એક્ટિવ કેસ છે અને 57720 દર્દીઓ સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે.
Highest ever spike of 6977 #COVID19 cases & 154 deaths in India in the last 24 hours. Total number of cases in the country now at 1,38,845 including 77103 active cases, 57720 cured/discharged and 4021 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/J0RoSHyulC
દેશમાં કુલ 4021 લોકોના મોત થયા છે તેમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં 1577 દર્દીઓના મોત થયા છે. 829 લોકોના મોત ગુજરાતમાં થયા છે. મધ્ય પ્રદેશમાં આ સંખ્યા 281 થઈ છે.પશ્ચિમ બંગાળમાં 269 અને દિલ્હીમાં સંક્રમણના કારણે 231 લોકોના જીવ ગયા છે. રાજસ્થાનમાં 160 લોકોએ જીવ ગુમાવ્યા છે તો યૂપીમાં 155 અને તમિલનાડુમાં 103 અને આંધ્ર પ્રદેશણાં 56 લોકોના મોત થયા છે.
72 new COVID19 positive cases, no deaths reported in Rajasthan today; the total number of positive cases in the state now stands at 7100: State Health Department pic.twitter.com/qZ13fqOvo7
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 3041 નવા કેસ સામે આવ્યા છે તો રાજ્યમાં 58 લોકોના મોત થયા છે. રાજ્યમાં 2000થી વધારે કેસ આવ્યા છે અને સાથે કુલ કેસની સંખ્યા 50231 પહોંચી છે. તેમાં 33988 એક્ટિવ કેસ છે. મોતનો આંક 1635 થયો છે. હાલ સુધીમાં 14600 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
સીએપીએફના 1180 જવાનો કોરોના સંક્રમિત
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસબળના કર્મચારીઓમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના સંક્રમણની સંખ્યા બમણી થઈ છે. સીએપીએફમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 1180 થઈ છે. સૌથી વધુ કોરોનાના કેસમાં જોવા મળ્યા છે. બીએસએફમાં હાલ સુધી 400 સંક્રમિત મળ્યા છે. તેમાં હાલમાં 120 એક્ટિવ કેસ છે. 2 જવાનોએ હાલ સુધી પોતાના જીવ ગુમાવ્યા છે.