દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો
60349 ઓક્સિજન બેડમાંથી 12 હજાર 701 ભરાઈ ચૂક્યા
મુંબઈમાં 5890 કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મોત થયા
મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો
દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. આખા મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ કેસમાં વધારો નોંધાયો છે.
60349 ઓક્સિજન બેડમાંથી 12 હજાર 701 ભરાઈ ચૂક્યા
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ જોતા આખા રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં 57 હજાર આઈસોલેશન બેડમાંથી એક લાખ 7 હજાર ભરાઈ ચૂક્યા છે. 60349 ઓક્સિજન બેડમાંથી 12 હજાર 701 ભરાઈ ચૂક્યા છે.
મુંબઈમાં 5890 કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મોત થયા
મહારાષ્ટ્રમાં સોમવારે 31, 643 નવા મામલા સામે આવ્યા અને 102 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. સોમવારે મુંબઈમાં 5890 કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કુલ 1904 નવા પોઝિટીવ કેસ આવ્યા છે
દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્પીડ ડરાવની છે. સોમવારે દિલ્હીમાં 106 દિવસ પછી કોરોનાના 1900થી વધારે નવા મામલા સામે આવ્યા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ મુજબ ગત 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 6 લોકોના મોત થયા છે. કુલ 1904 નવા પોઝિટીવ કેસ આવ્યા છે. આ પહેલા 13 ડિસેમ્બરે 1984 સંક્રમિત મળ્યા હતા. બુધવારે 1254, ગુરુવારે 1515 કેસ અને શુક્રવારે 1534, શનિવારે 1558 કેસ અને રવિવારે 1881 તો સોમવારે 1904 કેસ આવ્યા હતા.