ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ગુજરાત હાઈકોર્ટે સરકારને 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યૂની જરૂરિયાત હોવાના નિર્દેશ કર્યા છે. ત્યારે હવે આ સમાચાર વાયુવેગે ફેલાતો મોટી સંખ્યામાં લોકો મોલમાં ખરીદી કરવા દોડ્યા છે.
વિકેન્ડ લોકડાઉનના નિર્દેશની લોકો ઉપર સીધી અસર
મોલ બહાર ખરીદી માટે લોકોની ભીડ
શ્યામલ સ્થિત ડી માર્ટ બહાર લોકોની લાઈન
ઉલ્લેખનીય છે કે, શહેરના શ્યામલ વિસ્તારમાં આવેલા ડી માર્ટ બહાર લોકોની લાઈનો લાગી હતી. લોકડાઉન થવાના અહેવાલો વહેતા થતાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવા પહોંચી ગયા.
અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવા લોકોને VTVની અપીલ
આ સાથે જ VTV NEWS પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે, અફવાઓથી દોરાશો નહીં, કફર્યૂ અંગે જાહેરાત બાકી છે એટલે ખોટી વાતમાં આવશો નહીં.
રાજ્યમાં કર્ફ્યૂને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ અંગે VTV ન્યુઝ પાસે એક્સલુઝીવ માહિતી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. રાજ્ય સરકારે હાઇકોર્ટના નિર્દેશનો અભ્યાસ શરુ કર્યો છે. એડ્વોકેટ જનરલ સાથે સરકારે ચુકાદાને લઇ ચર્ચા શરૂ કરી છે. હાલ 4 મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ કર્ફ્યુ લાગી શકે છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે, ગઇકાલે ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે.
આજે અથવા કાલે હાઈપાવર કમિટિની મળશે બેઠક!
મહત્વનું છે કે, રોજના સરેરાશ 3 હજાર કોરોના કેસ નોંધાતા સ્થિતિ ગંભીર બની છે. રાજ્ય સરકાર એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને હાઈપાવર કમિટિમાં નિર્ણય લેશે. રાજ્ય સરકારની હાઈપાવર કમિટિ આજે સાંજે અથવા કાલે મળે તેવી શક્યતા છે. હાઈકોર્ટે કરેલા અવલોકનની રાજ્ય સરકારે એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરી છે.
હાઇકોર્ટના લોકડાઉન નિર્દેશ પર AMC હરકતમાં, અમદાવાદમાં લોકડાઉનની તૈયારી!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકેન્ડ કર્ફ્યુ મામલે વિચારણા કરી શકે છે. શહેરમાં ગુરુ, શુક્ર, શનિ અને રવિ કર્ફ્યુ લાગી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હાઇકોર્ટના નિર્દેશ બાદ મનપા વિકેન્ડ કર્ફ્યુ માટે તૈયાર છે. શહેરની સ્થિતિ પર મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીના ચીફ પ્રીન્સિપલ સેક્રેટરી કૈલાશનાથન, મ્યુનિ.કમિશનર વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાને નિયંત્રણમાં લેવા ખાસ અધિકારી તરીકે ફરજ બજાવતા રાજીવ ગુપ્તા પણ બેઠકમાં હતા. અમદાવાદ શહેરની સ્થિતિ વિશે ઉચ્ચ અધિકારીઓની સોમવારે રાત્રે બેઠક મળી હતી. અમદાવાદમાં કોરોનાના 700 ઉપર કેસ જતા અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે. અમદાવાદ શહેરમાં કેટલાક નિયંત્રણો હોવા છતાં કોરોના કાબૂમાં નથી થઈ રહ્યો.
રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
હાઈકોર્ટે શું કર્યા નિર્દેશ?
કોરોનાની ચેઇન તોડવી જરૂરીઃ હાઈકોર્ટ
હાલની સ્થિતિ કર્ફ્યુ લગાવવા જેવીઃ હાઈકોર્ટ
કોરોનાને અટકાવવા નક્કર પગલાં જરૂરીઃ હાઈકોર્ટ
રાજકીય મેળવડા બંધ કરાવવા નિર્દેશ
જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બની રહી છે વિકટ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને આપ્યા નિર્દેશ
3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ
વિકેન્ડ કર્ફ્યુ બાબતે પણ નિર્ણય લેવા ટકોર
રાજ્યમાં દરરોજ સરેરાશ 3 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે RT-PCR માટે પણ મોટાભાગની લેબોરેટરીમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. આ તમામ સ્થિતિને જોતા ગુજરાતમાં કોરોનાના કારણે આગમી દિવસોમાં ગંભીર સ્થિતિ પણ જોવા મળી શકે છે.
મહત્વનું છે કે, હાલ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવાયેલો છે. જે રાત્રિના 9થી સવારે 6 વાગ્યા સુધી લાગુ છે. તો એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં મહાનગરોમાં વિકેન્ડ કર્ફ્યુને લઇને રાજ્ય સરકાર વિચાર કરી શકે છે.
ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા હતા. તો 2028 દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો ગઇકાલે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં હતા. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.