દેશમાં છેલ્લા 24 કલાકમાં 58,077 નવા કેસ સામે આવ્યા, તો ગુજરાતમાં 1,883 કેસ બહાર આવતા રાહતની ત્રીજી લહેર
ગુજરાતમાં કોરોના કેસમાં ફરી ઘટાડો
આજે નવા કોરોના 1,883 કેસ નોંધાયા
ગુજરાતમાં ત્રીજી લહેર અંતના આરે છે. છેલ્લા 24 કલાકમાં 1,883 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 618 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 47 કેસ તો રાજકોટ શહેરમાં 47 કેસ, વડોદરા શહેરમાં 282 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 75 કેસ, ભાવનગર શહેરમાં 17 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 5, 005 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18301 સુધી પહોંચી ગઈ છે.
ભારતમાં 58,077 નવા કેસ નોંધાયા
સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 58,077 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 657 લોકોના મોત થયા હતા. જ્યારે પોઝિટીવીટીનો દર ઘટીને 4 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. હાલમાં દેશમાં સક્રિય કેસ 6.88 લાખ છે. દેશભરમાં આ કોરોના કારણે અત્યાર સુધીમાં 5,07,177 લોકોના મોત થયા છે. આમાંથી 71% કેસ માત્ર 5 રાજ્યોમાં છે. આ રાજ્યો છે- કેરળ (2.32 લાખ), મહારાષ્ટ્ર (70.1 હજાર), તમિલનાડુ (66.9 હજાર), કર્ણાટક (52 હજાર), આંધ્રપ્રદેશ (40.8 હજાર) અને મધ્યપ્રદેશ (29.5 હજાર) છે.