ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, 186 દર્દી ડિસ્ચાર્જ જ્યારે કુલ એક્ટિવ કેસ 984 જ રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો
આજે છેલ્લા 24 કલાકમાં 61 કેસ કોરોના પોઝિટિવ
જ્યારે 186 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા
ગુજરાતમાં કોરોના નિયંત્રણો ના બરોબર કરી દેવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂ પણ મહાનગરોમાંથી હટાવી લેવામાં આવ્યો છે. હવે ત્રીજી લહેર વિદાય લઈ રહી છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 61 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સારી વાત એ છે કે કોરોનાને લીધે એકપણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. જ્યારે 186 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 984 જ રહી છે. જ્યારે 08 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
દેશમાં કોરોનાના ૫,૯૨૧ નવા કેસઃ ૨૮૯ દર્દીનાં મોત
દેશમાં કોરોનાના નવા દૈનિક કેસમાં ઘટાડાનો સિલસિલો સતત જારી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫,૯૨૧ નવા કેસ સામે આવ્યા છે અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. રાહતની વાત એ છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૧,૬૫૧ સંક્રમિતો કોરોનામુક્ત થતાં એક જ દિવસમાં ૫,૭૩૦ એક્ટિવ કેસ ઘટ્યા છે.
આ સાથે દેશમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૨૯,૫૭,૪૭૭ થઈ છે અને તેની સામે અત્યાર સુધીમાં કુલ ૪,૨૩,૭૮,૭૨૧ દર્દીઓએ કોરોનાને માત આપતાં હવે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૬૩,૮૭૮ થઈ છે, જે હવે કુલ કેસના માત્ર ૦.૧૫ ટકા રહ્યા છે. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૧૪,૮૭૮ થયો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સિનના ૨૪,૬૨,૫૬૨ ડોઝ આપવામાં આવ્યા હતા અને આ સાથે કુલ વેક્સિનેશનની સંખ્યા ૧,૭૮,૫૫,૬૬,૯૪૦ થઈ છે. આઈસીએમઆરના રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯,૪૦,૯૦૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૭૭,૧૯,૧૪,૨૬૧ સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે.
દેશમાં હવે કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને માત્ર ૦.૬૩ ટકા થયો છે, જ્યારે વીકલી પોઝિટવિટી રેટ પણ ઘટીને ૦.૮૪ ટકા થયો છે. દેશમાં હાલ રિકવરી રેટ ૯૮.૬૫ ટકા છે.