સંસદના ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં બેંક ગ્રાહકોની મુશ્કેલીઓને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે એક સુધારણા બિલ રજૂ કર્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે સંસદના નીચલા ગૃહમાં કહ્યું કે કેન્દ્ર સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 માં સુધારો કરીને ગ્રાહકોના હિતોની સુરક્ષાની ખાતરી આપે છે.
સંસદના ચોમાસું સત્ર દરમિયાન બેંકને લઇને નાણામંત્રીનું મોટું નિવેદન
બેંકની સ્થિતિ વધુ ખરાબ
સરકાર લાવી રહી છે નવો નિયમ
નાણાં પ્રધાન સીતારામણે આ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ બેંક કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં આવે છે ત્યારે તેમાં જમા કરાયેલા લોકોની મહેનતથી મેળવેલા નાણા કટોકટીમાં ફસાઈ જાય છે. તેમણે કહ્યું કે દેશની 227 શહેરી સહકારી બેંકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે.
328 શહેરી સહકારી બેંકોની કુલ એનપીએ 15% થી વધુ
આ સિવાય, 105 સહકારી બેંકો છે, જેની પાસે લઘુતમ નિયમનકારી મૂડી પણ નથી. તે જ સમયે, 47 સહકારી બેંકોની નકારાત્મક નેટવર્થ છે. તે જ સમયે, 328 શહેરી સહકારી બેંકોની કુલ બિન-પરફોર્મિંગ એસેટ્સ (ગ્રોસ એનપીએ) 15 ટકાથી વધુ છે.
નિર્મલા સીતારામને સોમવારે સંસદના ચોમાસું સત્રના પહેલા જ દિવસે આપ્યું નિવેદન
નિર્મલા સીતારામને સોમવારે સંસદના ચોમાસું સત્રના પહેલા જ દિવસે જાહેર ક્ષેત્રની બેંકો(PSBs)ને પુન: મૂડીરોકાણ બોન્ડ દ્વારા રૂ. 20,000 કરોડ આપવાની સંસદની મંજૂરી માંગી છે. સરકારનું કહેવું છે કે સરકારી બેંકને આ પગલાથી મોટી રાહત મળશે.
સરકારી બેંકો દબાણ હેઠળ
નાણાં પ્રધાને કહ્યું કે, કોરોના સંકટ વચ્ચે ણધારકો પાસેથી પૈસા ન મળવાના કારણે સરકારી બેંકો દબાણ હેઠળ છે. તેમની બિન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) વધી રહી છે. સરકાર આ બેંકોને મૂડી આપીને રોકડ સંકટમાંથી બહાર નીકળવામાં સમર્થ હશે.