નિર્ભયા કેસ અત્યારે છેલ્લાં ચરણમાં છે ત્યારે નરાધમો મોત સામે જોઇને ફાંસીથી બચવા માટે કાવતરા ઘડી રહ્યા છે જેથી કંઈ પણ કરીને ફાંસીથી બચી શકાય. તિહાર જેલમાં બંધ આરોપીઓ વિશે જેલનાં અધિક્ષકે જેલ મુખ્યાલયને પત્ર લખીને મહિતી આપી છે. જેલ અધિક્ષકે પત્રમાં ત્રણેય આરોપીઓને અલગ અલગ સેલમાં ટ્રાન્સફર કરવા માંગ પણ કરી છે.
તિહાર જેલ નંબર 2માં બંધ છે ત્રણ આરોપીઓ
જેલની અંદર જ એકબીજાને નુકસાન પહોંચાડી શકે છે નિર્ભયાના નરાધમો
7મી જાન્યુઆરીનાં રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં ફાંસીની તારીખ માટે થશે સુનાવણી
ફાંસીથી બચવા નવા કાવતરા
તિહાર જેલમાં બંધ નિર્ભયા કાંડનાં આરોપીઓ ફાંસીની સજાથી બચવા નવા નવા કાવતરાં ઘડી રહ્યા છે. નિર્ભયાનાં આરોપીઓ જેલની અંદર જ અપરાધ કરીને ફાંસીથી બચવા માંગે છે. ફાંસીની સજાથી બચવા માટે આ દોષિતો પોતાના પર નવા કેસ નોંધાવવા માટે કાવતરું ઘડી રહ્યા છે. જેલ તંત્ર દ્વારા મળતી જાણકારીઓ પ્રમાણે જેલ નંબર 2 પર બંધ ત્રણ અપરાધીઓ અક્ષય, મુકેશ અને પવન જેલની અંદર જ કાવતરું ઘડી શકે છે. જેથી તેમના પર અપરાધ કરવા માટે કેસ દાખલ કરવામાં આવે અને તે કેસ ચાલે ત્યાં સુધી ફાંસીની સજાથી બચી શકાય
જેલ અધિક્ષકે પત્ર લખીને આપી માહિતી
જેલ નંબર 2નાં અધિક્ષકે જેલ મુખ્યાલયને પત્ર લખીને સમગ્ર ઘટનાથી માહિતગાર કર્યા છે. તેમણે જેલ તંત્રથી ત્રણેય અપરાધીઓને હાઈ સિક્યુરીટી સેલમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે. પત્રમાં બતાવવામાં આવ્યું છે કે કેદીઓ જેલમાં જ એકબીજાને નુકસાન પહોંચાડી શકે છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે તેમને જુદા પાડવા માટે અલગ અલગ સ્પેશીયલ સેલમાં મોકલી દેવા જોઈએ. નોંધનીય છે કે નિર્ભયા કાંડનો ચોથો આરોપી જેલ નંબર ચારમાં બંધ છે.
અપરાધીઓને મળ્યો છે દયા અરજી માટે સમય
નોંધનીય છે કે ત્રણેય અપરાધીઓને જેલ નંબર 3નાં હાઈ સિક્યુરીટી સેલમાં મોકલી શકાય છે. અહિયાં ફાંસી ઘર પણ છે. ચારેયની ફાંસીની તારીખ નક્કી કરવા માટે સાતમી જાન્યુઆરીના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે તિહાર જેલ તંત્રને કહ્યું હતું કે કેદીઓને ફરીવાર નોટીસ માટે સમય આપવામાં આવે. જે બાદ જેલ તંત્રએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવા માટે ફરીથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો.