વલસાડના મરોલી દાંડી ગામનો વીડિયો વાયરલ થયો છે. ધર્માંતરણ કરાતું હોવાના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે. ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગામમાં પરિવારે હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશ ધર્માતરણ કેસ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ કેસમાં વધું એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. ધર્માન્તરણના કેસમાં ગુજરાતના અન્ય એક મૌલનીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જે મૌલવીની સંડોવણી સામે આવી છે તે ઉમર મૌલવીને ફંડ આપતો હતો. સમગ્ર મામલે જે મૌલવીનું નામ સામે આવ્ચું છે. તે મૌલવીનું નામ હજું એટીએસ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ આ કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેથી હવે આ કેસની તપાસમાં ED પણ જોડાઈ શકે છે.
EDને 12 લોકોના શંકાસ્પદ એકાઉન્ટ મળ્યા
EDને સલાઉદ્દીન શેખ સહિત 12 લોકોના શંકાસ્પદ એકાઉન્ટ મળી આવ્યા છે. જે એકાઉન્ટમાંથી મોટી રકમની હેરાફેરી કરવામાં આવતી હતી. જેથી આ કેસમાં બીજા ઘણા બધા લોકો જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
સગીરાઓનું ધર્મપરિવર્તન
આ કેસમાં આરોપીઓ ખાસ કરીને કટ્ટરપંથી સગીરાઓને લલચાવી ફોસલાવીને તેમને ગાયબ કરી દેતા હતા. જેમા તેઓ સગીરાઓનું ધર્મ પરિવર્તન કરાવીને તેમના નિકાહ કરાવી દેતા હતા. આ સિવાય આરોપીઓ મૂકબધીર લોકોને પણ ધર્માન્તરણ કરવાતા હતા.
અગાઉ સૌરાષ્ટ્ર કનેકશન સામે આવ્યું હતું
ઉલ્લેખનીય છે આ કેસમાં થોડાક દિવસ પહેલા મુખ્ય આરોપી ઈરફાન ખ્વાજાનું સૌરાષ્ટ્ર કનેકશન સામે આવ્યું હતું. આરોપી ઈરફાન 2017માં રાજકોટમાંજ હતો. તે સમયે તે દિવ્યાંગ માટેના કાર્યક્રમમાં શામેલ થયો હતો. જે કાર્યક્રમમાં તે વડાપ્રધાન મોદીનો અવાજ બન્યો હતો. આરોપી ઈરફાન ખાસ કરીને મૂકબધીરોને ટાર્ગેટ કરતો હતો. જેમા તે મૂકબધીરોને ઈસ્લામ ધર્મ અપનાવવા પ્રેરીત કરતો હતો