સલમાન ખુર્શીદની પુસ્તક સનરાઈઝ ઓફ અયોધ્યાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ગૃહમંંત્રી દ્વારા પણ આ પુસ્તકને બૈન કરવાની વાત કરવામાં આવી છે.
સલમાન ખુર્શીદની પુસ્તકને લઈને ભારે વિવાદ
મધ્યપ્રદેશમાં પણ હવે બુક બૈન થવાની શક્યતા
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પુસ્તક બૈન કરવાની કરી વાત
સલમાન ખુર્શીદના પુસ્તકનો વિવાદ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે સલમાન ખુર્શીદની બુકને હવે તેમના રાજ્યમાં બૈન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશને ખંડિત કરવાની વાત કરે છે. જેમા સલમાન ખુર્શીદે પણ તેની બુક સનરાઈઝ ઓવર અયોધ્યામાં તેજ વિચારને આગળ વધાર્યો છે.
કાયદાના જાણકારો પાસે સલાહ લેશે
સમગ્ર મામલે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એવું પણ કહ્યું કે બુકને બૈન કરવા માટે તેઓ કાયદાના જાણકારોની પણ સલાહ લેશે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણ કહ્યું કે સલમાન ખુર્શીદે ઘણી વિવાદીત પુસ્તક છાપી છે. વધુમાં તેમણે કહ્યું કે હિન્દુત્વને ખંડિત કરવાનો તેમજ હિંન્દુને જાતીમાં વહેચવાનો કોઈપણ અવસર આ લોકો નથી છોડતા.
સોનિયા ગાંધી સ્પષ્ટતા કરે : નરોત્તમ મિશ્રા
નરોત્તમ મિશ્રાએ કહ્યું કે હિન્દુત્વ વીશે સુપ્રીમ કોર્ટ કહી ચુકી છે. જેમા હિન્દુત્વ એક જીવનપદ્ધતી છે. જેના પર સવાલો ઉઠાવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હવે સ્પષ્ટ કરે કે તેઓ આખરે કોની સાથે છે. સાથેજ તેમણે કહ્યુ કે તેઓ મધ્યપ્રદેશમાં કાયદાના જાણકારો પાસે વિચાર વિમર્શ કરીને આ બુકને બૈન કરશે.
ભાજપ કરી રહ્યું છે પુસ્તકનો વિરોધ
ઉલ્લેખનીય છે કે ખુર્શીદની બુકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. જેને લઈને ભાજપ સહિત હિંદુવાદી સંગઠનો આ પુસ્તકનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે ખુર્શીદે હિન્દુત્વનું અપમાન કર્યું છે. જેના કારણે ભારતની આસ્થાને નુકશાન થયું છે.