ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંત સંમેલનમાં મહાત્મા ગાંધી પર ફરી એક વાર વિવાદીત નિવેદન સામે આવ્યું છે. અનુયાયિઓને ભારતની સાથે હિન્દુ રાષ્ટ્ર લખવાની પણ માગ કરવામાં આવી છે.
પ્રયાગરાજમાં ફરી એક વાર વિવાદીત નિવેદનો અપાયા
સંત સંમેલનમાં સરકાર સામે રાખી આટલી ડિમાન્ડ
મહાત્મા ગાંધી પર ફરી એક વાર વિવાદીત નિવેદનો અપાયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંત સંમેલનમાં મહાત્મા ગાંધી પર ફરી એક વાર વિવાદીત નિવેદન સામે આવ્યું છે. અનુયાયિઓને ભારતની સાથે હિન્દુ રાષ્ટ્ર લખવાની પણ માગ કરવામાં આવી છે. આ અગાઉ પણ ધર્મસંસદમાં કેટલીય પ્રકારની ડિમાન્ડ સામે આવી છે. જેને લઈને સતત સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન દેશની સરકાર સામે કેટલાય મોટા પ્રસ્તાવો રાખ્યા છે. જેને લીને યતિ નરસિંહાનંદ અને વસીન રિઝવી ઉર્ફ જિતેન્દ્ર ત્યાગીને છોડી મુકવાની વાત પણ કહેવામાં આવી છે.
તો વળી શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ ધર્મ સંસદમાં માગ કરી છે કે, ઉત્તરાખંડ સરકાર કોઈ પણ શરત વગર નરસિંહાનંદ યતિ અને જિતેન્દ્ર નારાયણી ત્યાગીને એક મહિનાની અંદર તાત્કાલિક છોડી મુકે, આવું નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. તેણે એવું પણ કહ્યું કે, ધર્માંતરણ કરનારા લોકોને ફાંસી અને હિન્દુઓને 5 બાળકો પૈદા કરવાની અપીલ પણ કરી છે.
'Dharam Sansad' organised during Magh Mela in Prayagraj yesterday
'Dharam Sansad' has passed a proposal declaring India as a 'Hindu Rashtra'. We request Government of India to a bring a bill to this effect, said an attendee. pic.twitter.com/SRSWC2LC4a
આપને જણાવી દઈએ કે, પહેલા પ્રસ્તાવમાં ધર્મ સંસદમાં હાજર રહેલા સંતોએ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ કરી છે. જ્યારે બીજા પ્રસ્તાવમાં ધર્માંતરણના કિસ્સાને રોકવાની વાત કરી તેને વિરુદ્ધ કાયદો અને કડક સજાની માગ કરી છે. સાથે જ ધર્માંતરણ કરાવનારા લોકોને ફાંસીને સજા આપવાની પણ માગ કરી છે. ત્રીજા પ્રસ્તાવમાં હરિદ્વારમાં ધર્મ સંસદમાં ભડકાઉ ભાષણ આપનારા યતિ સ્વામી નરસિંહાનંદ અને જિતેન્દ્ર ત્યાગીને કોઈ શરત વગર જેલમાંથી છોડવાની માગ કરવામાં આવી છે.
તો વળી મહામંડલેશ્વર પ્રભુદાનંદ મહારાજે કહ્યું હતુ કે, જે પણ લોકો દેશ વિરોધી પ્રવૃતિઓમાં શામેલ છે અને હિન્દુઓનું સન્માન નથી કરતા તેમને પાકિસ્તાન અથવા તો બાંગ્લાદેશ મોકલી દેવાની જરૂર છે.
હિન્દુઓને હથિયાર ધારણ કરવાની વાત
સંત કેશરી મહારાજે કહ્યું હતું કે, આપણે દેવી દેવતા પાસેથી શિખીને શસ્ત્રો ગ્રહણ કરવાની જરૂર છે. તેમણે દેશનું રક્ષા બજેટ વધારવાની પણ માગ કરી છે. તથા દેશદ્રોહીને ગરમ તેલમાં સ્નાન કરાવાની પણ વાત કહી છે. આ દરમિયાન તેમણે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનવાની પણ ના પાડી દીધી છે. તથા નેતાજી સુભાષચંદ્ર બોઝને દેશના પ્રથમ પ્રધાનમંત્રી ગણાવ્યા હતાં.