સુરક્ષા એજન્સીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કાશ્મીરમાં શરૂ થયેલી હિંદુઓની ટાર્ગેટ કિલિંગની સ્ક્રિપ્ટ PoK મુઝફ્ફરાબાદમાં ISI દ્વારા લખવામાં આવી હતી.
POKમાં રચાઈ હતી ટાર્ગેટ કિલિંગની સ્ક્રિપટ
કાશ્મીરમાં છેલ્લા 26 દિવસમાં 10 લોકો થયા મોત
અત્યાર સુધી 40થી વધુ કાશ્મીરી હિન્દુ પરિવારોએ છોડી ઘાટી
ટાર્ગેટ કિલિંગની સ્ક્રિપ્ટ POKના મુઝફ્ફરાબાદમાં ISI દ્વારા લખવામાં આવી હતી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક વર્ષ પહેલા કાશ્મીરમાં હિંદુઓને મારવા અને ઘાટીના શાંતિ વાદીઓને હચમચાવી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ પાસે એવી માહિતી સામે આવી છે કે આ સમયે કાશ્મીરમાં શરૂ થયેલી હિંદુઓની ટાર્ગેટ કિલિંગની સ્ક્રિપ્ટ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં ISI દ્વારા લખવામાં આવી હતી. આમાં એવા 200 લોકોની યાદી બહાર આવી છે, જેમની હત્યા થવાની છે.
કાશ્મીરમાં છેલ્લા 26 દિવસમાં 10 લોકો માર્યા ગયા છે.
લોકો ભયના કારણે ખીણ છોડવા મજબૂર છે. ખીણમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળો તરફ આગળ વધી રહ્યા છે. આ હત્યાઓને રોકવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ એક હાઈપ્રોફાઈલ બેઠક લીધી છે. જેમાં સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપરાંત રો ચીફ પણ હાજર હતા. સરકાર આ મામલે મોટું પગલું ભરી શકે છે.
200 લોકોને જાનથી મારવાની યોજના
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર મોટો ખુલાસો કરતા ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે ગયા વર્ષે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આ હત્યાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મીડિયાના અહેવાલ અનુસાર, 21 સપ્ટેમ્બર 2021ના રોજ, મુઝફ્ફરાબાદમાં ISI અધિકારીઓ અને અન્ય આતંકવાદી સંગઠનો વચ્ચે બેઠક થઈ હતી. સુરક્ષા એજન્સીઓ અનુસાર, આયોજન દરમિયાન આવા 200 લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમના જીવ જવાના હતા.એજન્સીઓના જણાવ્યા અનુસાર આ બેઠકમાં નવા નામો સાથે નવા આતંકવાદી જૂથો બનાવવાની યોજના પણ સામે આવી છે.
નવા નામો સાથે આતંકવાદી સંગઠનો
એક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, આ મીટિંગ ગયા વર્ષે ઓક્ટોબરમાં થઈ હતી. ISIના આતંકવાદી સંગઠનો સાથે યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે અલગ-અલગ અને નવા નામો સાથે આતંકવાદી જૂથો બનાવવામાં આવશે, જે ટાર્ગેટ કિલિંગની જવાબદારી લેશે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કાશ્મીરી પંડિતો, સુરક્ષાકર્મીઓ, RSR અને ભાજપના સ્થાનિક નેતાઓ ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિશાન બનાવવામાં આવશે.
J&K| Panic-stricken Kashmiri Pandits working under PM package reached Jammu due to targeted killings in Kashmir Valley
Today's Kashmir is more dangerous than the 1990s. Most imp question is why our people were locked in our colonies.Why admin is hiding their failure?: Ajay(2.06) pic.twitter.com/4FgGN65u1C
મહત્વનું છે કે, 1990થી ઘાટીમાં સ્થિતિ વણસી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ બિહારના એક મજૂર અને રાજસ્થાનના મેનેજર વિજય કુમારની બેંકમાં ઘૂસીને હત્યા કરી હતી. આ પહેલા રાહુલ ભટ નામના કાશ્મીરી પંડિતની ઓફિસની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પરિસ્થિતિથી લોકો ખૂબ જ ડરી ગયા છે. અત્યાર સુધી અમારા 30 થી 40 પરિવારોએ ખીણ છોડી દીધું છે કારણ કે સરકાર તેમની માંગણીઓ પૂરી કરી શકી નથી.