કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર કેન્દ્ર સરકારનો ઘેરાવ કરવા માટે થઈને આગામી 28 ઓગસ્ટના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પર હલ્લાબોલ રેલીનું આયોજન કરશે.
મોંઘવારી સામે હલ્લાબોલ
દિલ્હીના રામલીલા મેદાનમાં કરશે વિરોધ પ્રદર્શન
દેશભરમાં મોદી સરકારનો વિરોધ કરવા માટે બનાવ્યો ફુલ પ્રુફ પ્લાન
કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર કેન્દ્ર સરકારનો ઘેરાવ કરવા માટે થઈને આગામી 28 ઓગસ્ટના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પર હલ્લાબોલ રેલીનું આયોજન કરશે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર આ રેલી પહેલા 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટની વચ્ચે દેશની તમામ વિધાનસભા વિસ્તારની મંડીઓ, છુટક બજારો અને અન્ય કેટલીય સંસ્થાઓ પર વિરોધનું આયોજન કર્યું હતું.
જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસ ગત 5 ઓગસ્ટના રોજ મોદી સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ આંદોલન કર્યું, જેની સાથે જ લોકોને પણ જોડ્યા. પ્રધાનમંત્રી નિરાશ થઈને કાળા જાદૂનો પ્રયાસ કર્યો, જે એ વાત બતાવે છએ કે, ભાજપ સરકાર આકાશે આંબતી મોંઘવારી અને બેરોજગારી પર અંકુશ લગાવામાં નિષ્ફળ રહી છે.
જયરામ રમેશના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ પોતાની લડાઈ આવતા અઠવાડીયામાં તેજ કરશે. તેમણે કહ્યું કે, પાર્ટી 1 7ઓગસ્ટથી 23 ઓગસ્ટની વચ્ચે દેશની વિધાનસભા વિસ્તારમાં આવતી મંડીઓ અને બજારો અને કેટલીય સંસ્થાઓમાં મોંઘવારી ચૌપાલ આયોજીત કરશે. તેનું સમાપન 28 ઓગસ્ટે રામલીલા મેદાનમા મોંઘવારી પર હલ્લાબોલ રેલી સાથે કરવામાં આવશે, આ રેલીમાં કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ પણ જોડાશે.
રેલીને સંબોધન કરશે રાહુલ ગાંધી
કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે, રામલીલા મેદાનની રેલીને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધન કરશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું છે કે, રેલીથી અલગ કોંગ્રેસ કમિટી રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર મોંઘવારી પર હલ્લાબોલ-ચલો દિલ્હી કાર્યક્રમનું આયોજન કરશે. તેમણે દાવો કર્યો છે કે, ભારતના લોકો મોદી સરકારની આર્થિક કુપ્રબંધનના માઠા પરિણામ ભોગવી રહ્યું છે. દહી, છાશ, પેક કરેલી ખાદ્ય ચીજો જેવી જીવન જરૂરિયાત વસ્તુઓના ટેક્સ ઝીકીને મોંઘવારી વધારી છે.