કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન થયું છે. રાજીવ ત્યાગીની તબિયત અચાનક કથળી હતી. ગંભીર હાલતમાં તેમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજીવ ત્યાગી કોંગ્રેસના ધારદાર પ્રવક્તા હતા અને ટીવી ચેનલો પરની ચર્ચાઓમાં પક્ષની અસરકારક રીતે તરફેણ કરતા હતા
.કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું, કોંગ્રેસે બબ્બર શેર ગુમાવ્યો
કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું તબિયત અચાનક કથળતા ગાઝિયાબાદ ખાતે તેમનું નિધન થયું છે. ગંભીર હાલતમાં તેમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રાજીવ ત્યાગીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું.
જો કે આજે આખો દિવસ રાજીવ ત્યાગીની તબિયત સારી હતી. સાંજે 5 વાગે તેઓ ચેનલની ડિબેટમાં પણ જોડાયા હતા. બાદમાં રાજીવ ત્યાગીના ઘરે અચાનક તેની તબિયત લથડતાં તે બેહોશ થઈ ગયા. બેભાન અવસ્થામાં તેમને તાત્કાલિક યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
कॉंग्रेस ने आज अपना एक बब्बर शेर खो दिया।
राजीव त्यागी के कॉंग्रेस प्रेम व संघर्ष की प्रेरणा हमेशा याद रहेंगे।
કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર રાજીવ ત્યાગીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે લખ્યું છે કે રાજીવ ત્યાગીના અચાનક અવસાનથી આપણે બધાં ઘેરા દુ:ખમાં છીએ, તેઓ એક પાક્કા કોંગ્રેસી અને સાચા દેશભક્ત હતા, દુ:ખની આ ઘડીમાં પરિવાર સાથે અમારી સંવેદના અને પ્રાર્થના છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રાજીવ ત્યાગીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ત્રણેય નેતાઓએ રાજીવ ત્યાગીની પત્ની સાથે વાત કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું. મળતી માહિતી મુજબ રાજીવ ત્યાગીના અંતિમ સંસ્કાર ગુરુવારે હિંડોન નદીના કાંઠે સ્મશાનગૃહમાં યોજાશે.