કોંગ્રેસ પાર્ટીના ચાણક્ય અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે દુનિયામાંથી વિદાય લીધી છે. જેના કારણે સોનિયા ગાંધી ભારતીય રાજનીતિમાં સ્થાપિત થઈ શક્યા હતા. પ્રધાનમંત્રી પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ આટલી મોટી પાર્ટીને સંભાળી શક્યા. પટેલ ગુજરાતથી રાજ્યસભા સાંસદ હતા. અહેમદ પટેલ કોંગ્રેસના કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આવો જાણીએ અહેમદ પટેલ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે અને પરિવારની ઈનકમ શું છે.
કુલ વાર્ષિક આવક 35, 26, 047 રુપિયા થઈ જાય
28 વર્ષની ઉંમરે તેઓ સાંસદ બન્યા હતા
અહેમદ પટેલ કોંગ્રેસના કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
પટેલની વાર્ષિક આવક 15, 10, 147 રુપિયા
myneta.info વેબસાઈટના જણાવ્યાનુંસાર અહેમદ પટેલ 2011થી 2017 દરમિયાન 23 ટકાની વૃદ્ધિ થઈ છે. પટેલની વાર્ષિક આવક 15, 10, 147 રુપિયા હતી. ચૂંટણી આયોગમાં આપેલા સોગંદનામા મુજબ તેમની પત્ની મેમૂનાની આવક 20,15, 900 રુપિયા છે. આ તમામને મળાવતા કુલ વાર્ષિક આવક 35, 26, 047 રુપિયા થઈ જાય છે.
સોગંદનામા મુજબ અહેમદ પટેલની પાસે કુલ સંપત્તિ 6 કરોડ 51 લાખ 09 હજાર 803 રુપિયા છે. આ ઉપરાંત 1 કરોડથી વધારે (1, 17, 04, 908) અન્ય સેવિંગ્સ છે. અહેમદ પટેલના દીકરા અને દીકરીની આવક વિશે સોગંદનામામાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
28 વર્ષની ઉંમરે તેઓ સાંસદ બન્યા હતા.
ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા. ત્યારે તેમની ઉંમર 28 વર્ષ હતી.
આ સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં. સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા. 1996માં અહેમદ પટેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.