રાજ્યસભાની 57 સીટો માટે આગામી 10 જૂનના રોજ ચૂંટણી થવાની છે. તેના માટે કોંગ્રેસ તરફથી 10 સભ્યોના નામ પર મહોર લગાવામાં આવી છે.
રાજ્યસભાની ચૂંટણી 10 જૂને યોજાશે
કોંગ્રેસે જાહેર કરેલા નામોમાં મોટા ભાગના છાપેલા કાટલાં
સોનિયા ગાંધી અને રાહુલ-પ્રિયંકાના માનીતા ઉમેદવાર
રાજ્યસભાની 57 સીટો માટે આગામી 10 જૂનના રોજ ચૂંટણી થવાની છે. તેના માટે કોંગ્રેસ તરફથી 10 સભ્યોના નામ પર મહોર લગાવામાં આવી છે. તો વળી કોંગ્રેસના ઉમેદવારોના નામ પર નજર કરીએ તો, જાણવા મળે છે કે, આ નામોમાં ગાંધી પરિવાર દ્વારા ચૂંટવામાં આવ્યા છે. જેમાંથી સોનિયા ગાંધીએ પી ચિદંબરમ અને જયરામ રમેશની પસંદગી, તો વળી પ્રિયંકા ગાંધીના સમર્થક કહેવાતા ઈમરાન પ્રતાપગઢીનું નામ પણ સામેલ છે.
આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ શુક્લા અને પ્રમોદ તિવારી પણ આ લિસ્ટમાં છે. સોનિયા ગાંધી અને પ્રિયંકાના માનીતા ઉપરાંત રાહુલ ગાંધીએ રંજીત રંજન સહિત અન્ય લોકોના નામ પર પોતાની મહોર લગાવી છે.
કોણ ક્યાંથી જશે રાજ્યસભા:
કોંગ્રેસે છત્તીસગઢથી રંજીત રંજન અને રાજીવ શુક્લાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કર્ણાટકમાંથી જયરામ રમેશ, મધ્ય પ્રદેશમાંથી વિવેક તંખા, હરિયાણામાંથી અજય માકન, મહારાષ્ટ્રમાંથી ઈમરાન પ્રતાપગઢી, રાજસ્થાનમાંથી રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારી અને તમિલનાડુમાંથી પી ચિદમ્બરમના નામ પર મહોર લગાવી છે.
રણદીપ સુરજેવાલાને તેમના ગૃહ રાજ્ય હરિયાણામાંથી નહીં, પરંતુ રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે, કોંગ્રેસમાં રાજ્યના નેતાઓની સરખામણીમાં બહારના લોકોને ઉમેદવાર બનાવવાની ફરિયાદો હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ આ નામ જાહેર કર્યા છે. સુરજેવાલાએ આ નિર્ણય તેમના જૂના હરીફ ભૂપિન્દર હુડ્ડા અને અજય માકન સાથે સ્થાનોની અદલાબદલીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું માનવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસના ઉમેદવાર રાજીવ શુક્લા અને રંજીત રંજન રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા રાજીવ શુક્લા ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. રંજીત રંજન બિહારના ભૂતપૂર્વ લોકસભા સાંસદ છે. રાજ્યસભાના સભ્ય બન્યા બાદ રાજ્યમાંથી ત્રણ મહિલા રાજ્યસભા સભ્ય બની છે.
કયા રાજ્યમાં કેટલી બેઠકો પર રાજ્યસભાની ચૂંટણીઃ
10 જૂને રાજ્યસભાની કુલ 57 બેઠકો પર ચૂંટણી થશે. જેમાં પંજાબ, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણામાંથી બે-બે અને ઉત્તરાખંડમાંથી એક સીટ છે. તે જ સમયે, મધ્યપ્રદેશ અને ઓડિશામાં ત્રણ-ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સિવાય આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં 4-4 સીટો, બિહારમાં 5 સીટો, મહારાષ્ટ્રમાં 6-6 સીટો અને તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 11 સીટો સામેલ છે.