રાહુલ ગાંધીએ કોગ્રેંસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા પછી રાજકીય હલચલ વધી ગઇ છે. હવે ગુરુવારે સવારે તેમની બહેન અને પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલામાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
પ્રિયંકા ગાંધીએ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લખ્યુ કે, ''રાહુલ ગાંધીએ રાજીનામું આપીને હિંમત બતાવી છે, આવું કરવાની ક્ષમતા ભાગ્યે જ કોઇમાં હોય છે. હું તેણા નિર્ણયને દિલથી સન્માન કરુ છું.'' તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લેતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 4, 2019
રાહુલ ગાંધીએ 23મેના રોજ આવેલી લોકસભા ચૂંટણીના પરિણામો પછી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. પરંતુ પાર્ટી સભ્યો તેમને સતત ના પાડી રહ્યા હતા અને રાજીનામું પરત લેવાની વાત કરતા હતા. જોકે રાહુલ ગાંધી તેમની વાત પર અડગ રહ્યા અને બુધવારે ટ્વિટર પર ચાર પાનાનો પત્ર લખીને તેમના રાજીનામાની વાત સ્પષ્ટ કરી દીધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાની સાથે જ રાહુલ ગાંધીએ ઘણી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્ટીએ ખૂબ જલદી અધ્યક્ષ પદની ચૂંટણી કરવી જોઈએ અને પાર્ટીની આ પ્રક્રિયામાં મારી કોઈ ભૂમિકા નહીં રહે. આ ઉપરાંત રાહુલ ગાંધી છેલ્લા ઘણાં સમયથી એવું પણ કહી રહ્યા છે કે, પાર્ટીના નવા અધ્યક્ષ ગાંધી પરિવારથી અલગ હોવા જોઈએ.
જ્યાં સુધી પાર્ટી નવા અધ્યક્ષ ના પસંદ કરે ત્યાં સુધી પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાને જવાબદારી સોંપવામાં આવી છે. એવામાં ફરી સવાલ થઇ રહ્યો છે કે, પાર્ટી કોઇ પસંદ કરશે. પાર્ટીમાં ઘણા વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે, જેમાં કાર્યકારી સમિતિને બોલાવીને નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અથવા તો એવી સમિતિ બનાવવામાં આવશે જે પાર્ટીનુ નેતૃત્વ કરી શકે.
રાહુલના પત્રમાં શું હતુ:
કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ હોવાના કારણે હું 2019માં થયેલી ચૂંટણી હારની જવાબદારી સ્વીકારું છું. આ જ કારણે હું પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું. પાર્ટીના પુનર્વિકાસ માટે કડક નિર્ણય લેવા જરૂરી છે અને 2019ની નિષ્ફળતા માટે ઘણા બધા લોકોને જવાબદાર ઠેરવવા જોઈતા હતા. પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે બીજાને જવાબદાર ગણાવવા એ ન્યાય ન હોઈ શકે.
It is an honour for me to serve the Congress Party, whose values and ideals have served as the lifeblood of our beautiful nation.
I owe the country and my organisation a debt of tremendous gratitude and love.
મારા ઘણા બધા સાથીઓએ મને સૂચન કર્યુ છે કે હું પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરું, જ્યારે એ જરૂરી છે કે કોઈ નવો વ્યક્તિ પાર્ટીનું નેતૃત્વ કરે તો એ મારા માટે યોગ્ય નહીં હોય કે હું કોઈની પસંદગી કરું. અમારી પાર્ટીનો જૂનો ઈતિહાસ છે. મને પુરો વિશ્વાસ છે કે પાર્ટી આ અંગે યોગ્ય નિર્ણય લે કે પાર્ટીનું સાહસ ,પ્રેમ અને ઈમાનદારીથી નેતૃત્વ કોણ કરે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. આ વખતે 52 સીટ મેળવનારી કોંગ્રેસ ફરી એક વખત લોકસભામાં નેતા વિપક્ષ પદ મેળવી શક્યા નથી. રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતા રાજીનામાની વાત કરી તો ઘણા નેતાઓ પર નારાજગી વ્યકત કરી. તેમણે કહ્યુ કે, ''રાજીનામા પછી કોઇ નેતા સામે આવ્યા નથી, જેણે હારની જવાબદારી લીધી હોય.'' જોકે રાહુલ ગાંધીનું આટલુ કહેવા પર પણ ઘણા નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ તેમાં કોઇ મોટા નેતા શામેલ નથી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સહિત પાર્ટીના મોટા નેતાએ રાહુલ ગાંધીને મનાવવો પ્રયત્ન કર્યો, તેમ છતાં રાહુલ ગાંધીએ કોઇને વાત ના સાંભળી.