ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે આજે પોતાના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રભારી પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.
આવતીકાલથી શરૂ થઈ રહેલી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો
મહિલાઓના અધિકારોનો મુદ્દો મહત્વનો બનાવ્યો
ખેડૂતો માટે પણ કરી છે આવી જાહેરાત
ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે આજે પોતાના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રભારી પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસે તેને ઉન્નતિ વિધાન ઘોષણાપત્ર એવું નામ આપ્યું છે. આ અવસરે યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ સહિત પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતા પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, આ અગાઉ કોંગ્રેસ પાર્ટીએ યુવાનો માટે યુવા વિધાન અને મહિલા માટે શક્તિ વિધાન મેનિફેસ્ટો જાહેર કરી ચુકી છે.
આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરર્શીદ અને પીએલ પુનિયા જનતાની વચ્ચે જઈને તૈયાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ જનતાના મુદ્દાને સમજીને આ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ જાહેર કરેલા મેનિફેસ્ટોની મહત્વની વાતો
સરકાર બનતા 10 દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે
2500 માં ઘઉં, ધાન 400 રૂપિયામાં શેરડી ખરીદવામાં આવશે
યુપીની આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું જોર મહિલા મતદારો પર છે. આ જ કારણ છે કે, યુપીની તમામ 403 સીટો પર એકલા હાથે ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટિકિટ આપીને નવા રાજકારણની શરૂઆત કરી છે.