દર વર્ષે અષાઢી બીજના દિવસે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવતી હોય છે. પરંતુ એમાં અમદાવાદની રથયાત્રાનું મહત્વ કંઇક અનેરું હોય છે.
કોંગ્રેસના નેતાઓ વાજતે ગાજતે પગપાળા જગન્નાથજીના મંદિર જશે
રથયાત્રાના આગલા દિવસે વિપક્ષના આગેવાનો કરે છે રથપૂજન
અમદાવાદની રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. દર વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે. પરંતુ કોરોનાના કારણે સતત બે વર્ષથી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈના રોજ આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસના આગેવાનો વાજતે ગાજતે જગન્નાથજીના મંદિરે જશે.
145 કિલોનો લાડુ ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવશે
મહત્વનું છે કે, રથયાત્રાના આગલા દિવસે વિપક્ષના આગેવાનો રથપૂજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત કોંગ્રેસ ટાઉન હોલથી પગપાળા કોંગ્રેસના આગેવાનો જગન્નાથજીના મંદિરે જશે. ઢોલ - નગારા અને DJ સાથે સાફા પહેરીને પ્રમુખ સહિતના આગેવાનો ભગવાન જગન્નાથજીના મંદિરે જશે. 145મી રથયાત્રા નિમિત્તે કોંગ્રેસ 145 કિલોનો લાડુ લઇને મંદિરે જશે. 145 કિલોનો લાડુ કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવશે.
આવતીકાલે રાજ્યસ્તરે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સલામત, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના અધ્યક્ષ સ્થાને મહાનગરોના પોલીસ કમિશનરો, તથા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી. pic.twitter.com/UVyNOXlFpd
તમને વિશેષમાં જણાવી દઇએ કે, રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. કોરોનાકાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઇ ગૃહ વિભાગ એલર્ટ થયું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભગવાનને ધરાવાતા પ્રસાદની તૈયારીઓ કરી દેવાઇ છે. આ સાથે સુરક્ષાના ભાગરૂપે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની અધ્યક્ષતા હેઠળ પોલીસ વિભાગે ગ્રાન્ડ રિહર્સલ પણ કર્યું હતું. તો રાજકોટમાં પણ રથયાત્રાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયું છે. રથયાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. બીજી બાજુ રથયાત્રાને લઈને વડોદરામાં પણ પૂરજોશમાં તૈયારી કરવામાં આવી છે. ભગવાનના રથને શણગારી નવા રંગરોગાન કરાયા છે.
જાણો શા માટે નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા અને શું છે તેની પાછળનું મહત્વ?
સનાતન પર્વ અનુસાર ભગવાનની રથયાત્રાનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે. આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો વાદ્ય યંત્રોની સાથે વિશાળ રથોને દોરીથી ખેંચે છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રથયાત્રાનો આરંભ રથની સામે સોનાના ઝાડુ હલાવીને અને સાથે જ વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે કરાય છે. માન્યતા છે કે રથયાત્રાને એકબીજાના સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આવી રીતે માસીના ઘરે રહે છે ભગવાન જગન્નાથ
પહેલા ભાઈ બલભદ્રનો રથ, પછી બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે. લોકો તેને શ્રદ્ધા સાથે યાત્રા દરમિયાન આગળ વધારે છે. રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે. અહીં તેમની પૂજા અર્ચના કરાય છે. માસીના ઘરે ભગવાનને અનેક સ્વાદિષ્ટ પકવાનનો ભો ધરાવાય છે. અહીં ભગવાન જગન્નાથ બીમાર પડે છે તો તેમને પથ્યનો ભોગ લગાવવાય છે અને તે સાજા થાય છે.
કંઇક આવી છે કથા
જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે. જેના કારણે લક્ષ્મી નારાજ થઈ જાય છે અને સાથે રથના પૈડા તોડી દે છે. આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિત થઈ જાય છે. ભગવાન લક્ષ્મીજીને મનાવવા જાય છે અને તેમની માફી માંગે છે. અનેક ભએટ આપીને તેમને ખુશ કરવાની કોશિશ કરે છે. માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દેશે તે દિવસને વિજયાદશમી કહેવાય છે. આ 9 દિવસ પૂરા કરીને ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે. 9 દિવસ સુધી ચાલે છે આ રથયાત્રાનો ઉત્સવ. જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કરતબો આકર્ષણનું કેન્દ્ર બને છે.
ભક્તોને અપાય છે ખાસ પ્રસાદ
રથયાત્રાના દિવસે ભક્તોને જાંબુ અને મગનો ખાસ પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.