પેગાસસ ફોન ટેપીંગ મામલે હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ હવે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે જેમા તેઓ સમગ્ર મામલે તપાસની માગ કરવાના છે.
પેગાસસનો રેલો પહોચ્યો ગુજરાત
ગુજરાતનું રાજકારણ ફોન ટેપીંગને લઈને ગરમાયું
કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત
પેગાસસ જાસૂસી કાંડ હાલ દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે હવે પેગસાસનો રેલો ગુજરાત સુધી પહોચ્યો છે. આ જાસૂસી કાંડને કારણે ગુજરાતનું રાજકરણ ગરમાયું છે. સમગ્ર મામલે કોંગ્રેસ આક્રમક બન્યું છે. જેમા તેઓ આ મુદ્દે કડક વિરોધ કરી રહ્યા છે. સાથેજ તેઓ સરકાર પર પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે.
રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માગ્યો
ગુજરાત કોંગ્રસેના નેતાઓ આ મામલે રાજ્યપાલને રજૂઆત કરવામા મૂડમાં છે. તેમણે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય પણ માગી લીધો છે. જેમા તેઓ રાજ્યપાલને મળીને ન્યાયીક તપાસની માગ કરશે તેવી માહિતી સામે આવી છે. પેગાસસ ફોન ટેપીંગને લઈને પહેલાથી દેશમાં રાજકારણ ગરમાયેલું છે. જેની અસર હવે ધીરે ધીરે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.
કોંગ્રેસ સત્તામાં આવવા પેગાસસનો મુદ્દો ઉઠાવે છે : CM રૂપાણી
જોકે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું, કે કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે પેગાસસનો મુદ્દો ઉઠાવી રહી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ લાંબો સમય સત્તામાં રહી છે. પરંતુ હવે તેઓ સત્તામાં નહી આવી શકે વધુંમાં તેમણે એવું પણ કહ્યું હતું કે જેમ માછલી પાણી વગર તરફડતી હોય છે તેવી હાલત હાલ કોંગ્રેસની છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શાહ રાજીનામું આપે તેવી માગ
ઉલ્લેખનીય છે કે પેગાસસ ફોન ટેપીંગ મામલે લોકસભા તેમજ સાજ્યસભામાં કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે. સાથેજ વિપક્ષ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી માગ પણ કરવામાં આવી હતી. જોકે હવે ગુજરાત કોંગ્રેસ રાજ્યપાલને મળવા જઈ રહ્યું છે. ત્યા તેઓ શું માગ કરે છે તે જોવું રહ્યું